SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરૂશણમાળા. અને તત્સમુદાયરૂપ ગણ એ દશની યાચિત સેવા ચાકરી કરવી તે.. દશવિધ વિનય-અરિહંત, સિદ્ધ, ચિત્ય (જિન પ્રતિમા), સૂત્ર (સિદ્ધાન્ત), ક્ષમાદિક ધર્મ, સાધુવર્ગ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (સંઘ) અને દર્શન (સમકિત), એ દશ પ્રત્યે ૧ ભકિત, ૨ બહુમાન, ૩ ગુણસ્તુતિ, ૪ અવગુણુ આચ્છાદન અને આશાતના ત્યાગરૂપ પાંચ પ્રકારને વિનય સાચવ કહ્યો છે તે તથા દશવિધ ધર્મ ક્ષમા, માવ, આર્જવ, સંતેષ, તપ, સંયમ, સત્ય, શાચ, આ કિચન્ય અને બ્રહ્મચર્ય. તેમાં કેધને નિગ્રહ તે ક્ષમા, માનને નિગ્રહ તે માર્દવ, અમાયીપણું તે આજીવ, લોભનિગ્રહ તે સતિષ, ઈચ્છાનિરોધ તે તપ, પ્રાણદયા તે સંજમ, હિતમિત (પ્રિય) વાકય તે સત્ય, અંતરશુદ્ધિ તે શાચ, અપરિગ્રહ તે અકિંચિનતા અને મૈથુનવર્જન તે બ્રહ્મચર્ય એ દશવિધ યતિધર્મ કહો છે, તેને જે સારી રીતે પ્રકાશે છે. અકલ્પનીયાદિકષક-૧ સંજમમાર્ગમાં બાધકકારી એવાં આહારપાણી વસ પાત્ર શમ્યા–વસતિ પ્રમુખ સાધુને અકલ્પનિક લેખાય, ૨ ગ્રહસ્થના ભાજનમાં જમવુ ન કલ્પે (ખાસ કારણસર કંઈ લીધું હોય તે તે પાછું મેંપી દેવું) ૩ મા-પલંગ ખાટ, ખાટલે વાપર સાધુને ન કલ્પ, કનિસિજજા-સંથારે તથા ઉત્તરપટ્ટાથી અધિક રાખવું ન કલ્પ, ૫ સ્નાન કરવું ન કલ્પે તથા શરીરશોભા (વિભૂષા) કરવી ન ઘટે. એવા છત્રીશ ગુણોવડે અલંકૃત ગુરૂમહારાજા જયવંતા વર્તા! (૧૩). હવે ગ્રંથકાર તેરમી ગુરુગુણ છત્રીશી કહે છે, दसभेयाइ रुईएँ, दुवालसंगेसे बोरुवंगेसु । दुविहसिक्खाइनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥ १४ ॥ દશ પ્રકારની રૂચિ, ૧૨ અંગ અને ૧૨ ઉપાંગ તથા બે પ્રકારની શિક્ષાને વિષે નિપુણ એવા છત્રીશ ગુણે યુત ગુરૂમહારાજા જયવંતા વાર્તા (૧૪). For Private and Personal Use Only
SR No.020364
Book TitleGurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1918
Total Pages87
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy