SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮). ચેસઠ પ્રકારી પૂજા-સાથે ક્ષેત્રવેદના છ પામે છે અને નિરંતર દુ:ખમાં જ કાળ ગુમાવે છે. ઉપરાંત પરમાધામી દેવે પણ અનેક પ્રકારનાં દુ:ખ ઉપજાવે છે. આ હકીક્ત ભવભાવના ગ્રંથમાં સારી રીતે કહેલી છે. ૨. વિષભજનના સંબંધમાં ધર્મરાજાના તલાર એટલે કેટવાળને અવાજ (ઉદ્દેષણા) -આ પ્રમાણે છે–એક નગરીમાં એક રાજા હતા. તેણે બીજા રાજાનું લશ્કર આવતું જાણી તે લશ્કર આવતા પહેલાં પોતાના પ્રત્યેક ગામમાં ધાન્યમાં, મીઠાઈમાં, મીઠા પાણીમાં, ગેળમાં, ખાંડમાં, વૃક્ષના ફળમાં અધામાં ઝેર ભેળવ્યું. આ પ્રમાણેની હકીકત આવનાર રાજાએ જાણીને પિતાના કેટવાળ મારક્ત પડહો વજડાવી–ઢેલ ટીપાવીને તેણે જાહેર કર્યું–સર્વ સૈન્યને એ ઉપદેશ આપે કે“આપણું લશ્કરમાંથી જે કઈ આ ગામના મીઠા પાણી પીશે, ભક્ષ્ય ભજનના રસમાં લીન થઈને તે ખાશે તે તરત જ યમના મંદિરમાં જશે અર્થાત્ મૃત્યુ પામશે; અને જે દૂર દેશથી આવેલું– આપણે ખાસ મંગાવેલું સાધારણ ભેજન ખાશે અને અહીંના ખારા પાણી પીશે તે ચિરંજીવ રહેશે-ઘણે કાળ જીવશે, સુખશાતા પામશે, તેને કદી પણ અશાતા નહીં થાય.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા જેણે પાળી તે સુખી થયા અને જેણે ન પાળી તે દુખિયા થયા. ૩-૪-૫-૬. આ વાતને ઉપનય એ છે કે–આ સંસારમાં પાંચે ઈન્દ્રિયોના વિષમાં મહારાજાએ વિષ ભેળવેલું છે, તેથી જે પ્રાણ તેમાં આસક્ત થશે–અત્યંત રસિક બનશે તે દુ:ખ પામશે, સંસારમાં પરિભ્રમણ કરશે. જેમ બ્રહ્મદત્ત ચકી એ પ્રમાણેના વિષરસમિશ્રિત અન્નજળ જેવા વિષયરસમાં આસક્ત થવાથી નરકે પહોંચેલ છે, અને ધર્મરાજાની ઉપર જણાવ્યા પ્રમાણેની આજ્ઞા પાળનારા સાંસારિક વિષયસુખમાં આસક્ત નહીં થનારા મેઘકુમાર, ધન્ના–શાલિભદ્ર વિગેરે શ્રી શુભવીર પરમાત્માના રાજ્યમાં સુખના ભાજન થયા છે. ૭. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy