SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ચોસઠ પ્રકારી પૂજા-સાથે લાભાંતરાયને ક્ષય કરી નિર્વાણ પદને પામી છે. ૨. (આ કથા પણું શ્રી વિજયચંદ્ર કેવળી ચરિત્રના ભાષાંતરમાં છે.) દ્વાળને અર્થ હે પરમાત્મા ! તમે મારા મનરૂપી મંદિરમાં પધારો કે જેથી હું એક વાત આપને કરું. હે સ્વામી! હું અજ્ઞાનીની સોબતમાં આખી રાત રમ્ય છું અર્થાત્ આજ સુધીનું અનેક ભવેનું આયુષ્ય વ્યતિક્રમાવ્યું છે. ૧. (આ પૂજામાં લાભાંતરાય સંબંધો હકીકત કહે છે.) હું વ્યાપાર કરવા માટે દેશ-વિદેશમાં ગયે, પારકી સેવા કરી, પણ એક કોડી પણ મળી નહીં. ૨. તે ઉપર દૃષ્ટાંત કહે છે કે–રાજગૃહ નગરીમાં એક દમક (ભિક્ષુક) ફરતા હતે. તે ભિક્ષાચારવૃત્તિ કરતો હતો, છતાં પેટ પણ મહાદુઃખે ભરતે હતે અર્થાત્ પેટ ભરવા જેટલું પણ દુખે મળતું હતું. તેને લાભાંતરાયને ઉદય હતો તેથી લેકે તેને આપતા નહોતા. એટલા ઉપરથી તેને લેકે ઉપર એટલે શ્રેષ થયે કે તે નગર ઉપર એક મોટી શિલા પાડી દેવા માટે નજીકના વૈભાર પર્વત ઉપર ચડ્યો, ત્યાંથી એક શિલા પાડતાં તે જ પડી ગયું અને તે શિલા નીચે કચડાઈ મરણ પામીને સાતમી નરકે ગયો. ૩-૪. ઢઢણુ અણગાર કે જે સંસારીપણુમાં કૃષ્ણ વાસુદેવની ઢંઢણું રાણીના પુત્ર હતા, તે નિત્ય ગેચરી માટે ફરતા હતા, પણ લાભાંતરાયને ઉદય હોવાથી તે શુદ્ધ મુનિ છતાં પૂર્વ ભવમાં પશુઓને અંતરાય કરેલ હોવાથી કે તેને આપતા નહોતા અને આહાર વિના રહેતા હતા. પ. આદીશ્વર પરમાત્મા સંયમભાર ધારણ કર્યા પછી પૂર્વના લાભાંતરાયને લીધે એક વર્ષ પર્યત આહાર ન પામ્યા. છેવટે વષીતપનું પારણું શ્રેયાંસ રાજાને ત્યાં શેરડીના સવડે કર્યું. ૬. આ પ્રકારે જ્યારે લાભાંતરાયને ઉદય હોય છે ત્યારે મિથ્યાત્વે વાસિત જીવ આત્ત ધ્યાન કરે છે For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy