SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ-દિવસ અંતરાય કર્મ નિવારણ પૂજા ( ૧૯૩) ના પાડી. ૧. કૃપણુ મનુષ્ય શાસ્ત્રો સાંભળતા નથી અને તેથી ધર્મ પામતા નથી. ધર્મ સાંભળવા જઈએ તે ગુરુ કાંઈક ખર્ચ કરવાનું બતાવશે એટલા માટે તે ગુરુ પાસે જતા જ નથી, તેથી ધર્મ પામ્યા વિના તે પશુ–પ્રાણુ જેવા રહે છે અને કુકર્મોને છાંડતા નથી. ૨. પૂર્વે કોઈને દાન દેતાં અંતરાય કર્યો હોય તે તેથી આ ભવમાં દાનાંતરાયને ઉદય થાય છે, અને તેવા મનુષ્ય ગુરુના ઉપદેશથી પણ દાનગુણ પામી શક્તા નથી. લેકે પ્રભાતમાં તેનું નામ પણ લેતા નથી. ૩. કઈ માણસ અતિ કૃપણ છે એમ સાંભળે છે તે મુનિરાજ પણ તેને ઘરે વહેરવા જતા નથી, કારણ કે વિશ્વાસુને ઘરે જ વહેરવા જવાને મુનિરાજનો આચાર છે–ત્યાં જવું જ તેમને કપે છે. ૪. કૃપણ લક્ષ્મીવંત હોય છતાં તેના મિત્રો-સ્વજનો તેનાથી દૂર રહે છે, અને અ૫ ધનવાળે પણ જે દાની હોય છે તે લેકે તેની ઉજ્જવળતાને ચાહે છે-વાંછે છે. તેની પાસે જાય છે.) ૫. કલ્પવૃક્ષ જે કે મેરુપર્વત ઉપર રહેલા છે પણ તે ઉપકાર કરી શકતા નથી તેથી શા કામના છે? તે કરતાં તો મારવાડમાં રહેલે કરડે સારે છે કે જે પંથીજનોને થડી પણ છાયા આપે છે ૬. અંતરાયકર્મને જેને ઉપશમ થયે હોય છે તે પ્રભુની ચંદનપૂજામાં ધન વાપરી શકે છે અને જેમ જયસૂર ને શુભમતિએ પ્રભુની ભક્તિ કરીને, પરિણામે લાયક ગુણ પ્રગટાવ્યા તેમ તે પણ પ્રગટાવે છે. ૭. દાનના ગુણવડે શોભતા એવા તંગિયાનગરીના શ્રાવકોના દ્વાર નિરંતર યાચક માટે ખુલ્લા રહેતા હતા, એમ કહીને પાંચમા અંગ શ્રી ભગવતીસૂત્રમાં શ્રીગુભવીર પરમાત્માએ તેના વખાણ કર્યા છે–તેને પ્રશસ્યા છે ૮. (આમાં સૂચવેલી જ્યસૂર ને શુભમતિની કથા પણ * અહીં અતિ કૃપણને અવિશ્વાસુની પંક્તિમાં ગણે છે. ૧૩. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy