SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ-આયુષ્ય કર્મનિવારણ પૂજા (૧૧) તેથી તમને–તમારા ચરણમાં શિશ નમાવીને, તમારી યુક્તિપૂર્વક જળપૂજા કરીને આયુકર્મની ચાર પ્રકૃતિ પિકી સુરગતિના આયુ નામની પ્રથમ પ્રકૃતિ શાથી બંધાય છે? તેના સ્થાનકે કહીશ. ૬-૭. ઢાળને અર્થ તીર્થોદકના કળશે ભરીને પરમાત્માને અભિષેક કરીએ, અષ્ટ પ્રાતિહાર્યની શોભા કરીએ અને તેમની નાની–મેટી આશાતનાઓ દૂર કરીએતજીએ. હે સલુણ મિત્ર! એ રીતે કરવાથી બીજે ભવે દેવાયુ પ્રાપ્ત કરીએ. ૧. જે મનુષ્ય પરમાત્માની પૂજ રચાવે, સમતારસમાં વતી તેમનું ધ્યાન ધરે, શેક સંતાપ ઘટાડે અને સાધુ-સાધ્વીને શુદ્ધ રીતે આહારાદિ વહોરાવે, ગુણી ઉપર રાગ ધરે, વ્રતે લઈને પાળે, સમકિત ગુણને ઉજવળ કરે, યણથી વતે, જીવે પર અનુકંપા કરે, ત્રણ કાળ ગુરુવંદન કરે તે દેવાયુ બાંધે. ૨-૩. વળી જે પંચાગ્નિને તાપ સહન કરે, બ્રહ્મચારીપણે વનમાં રહે, કષ્ટવડે દેહને દમે અને બાળતપસ્વી નામ ધરાવે છે પણ દેવાયુ બાંધે. ૪. એને બંધ સાતમા ગુણઠાણા સુધી છે, ઉદય ચોથા ગુણઠાણ સુધી છે અને એવે સુરાયુની સત્તા અગિયારમા ગુણઠાણુ સુધી હોય છે, કારણ કે દેવાયું બાંધેલ જીવ ઉપશમણિ માંડીને અગિયારમા ગુણઠાણું સુધી જાય છે. ૫. લૌકિક ને કેત્તર ગુણને ધારણ કરવાવાળા અને અંતસમયે શુભ પરિણામે વર્તતા જી દેવામાં અવતરે છે એવા શુભવીર પરમાત્માનાં વચન છે. તે પ્રભુની બલિહારી છે. ૬. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેદેવાયુ બંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy