________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી જ છુટકારે છે, પણ ભગવ્યા વિના છુટકારો નથી એમ જાણીને શુભ ભાવ રાખે. ૫૬
જે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે સર્વ આકાશના કુલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખે. પ૭
મેં નરકનું નારકીપણે તીક્ષણ દુ:ખ અનુભવ્યું તે વખતે કે મિત્ર હતા તેમ માનીને શુભ ભાવ રાખે. ૫૮
સુરશેલ (મેરૂપર્વત) ના સમૂહ જેટલો આહાર ખાઈને પણ તને સંતોષ ન વળે, માટે ચતુર્વિધ આહારને ત્યાગ કર. ૫૯
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આ ચાર ગતિમાં મનુષ્યને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે એમ માનીને ચતુર્વિધ આહારને ત્યાગ કરે. ૬૦
કેઈ પ્રકારના જીવ સમુદાયને વધ કર્યો વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં બ્રમણ કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. ૬૧
For Private And Personal Use Only