________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા છતાં, હું તે વિલેપનથી મારે રોગ શમાવી ન શક્યો; ક્ષણ પણ અળગી રહેતી નહોતી એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી ન શકી, એ જ હે મહારાજા! મારું અનાથપણું હતુ. એમ કેઈના પ્રેમથી, કેઈના ઔષધથી, કેઈના વિલાપથી કે કેઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યું નહીં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેદના ભેગવી; પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામ્યું. એક વાર જે આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવજ્યાને ધારણ કરું, એમ ચિતવીને શયન કરી ગયે. જ્યારે રાત્રિ અતિકમી ગઈ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ અને હું નીરોગી થયો. માત, તાત, સ્વજન, બંધિવાદિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભે પાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું.
શિક્ષાપાઠ ૭. અનાથી મુનિ, ભાગ ૩ –
હે શ્રેણિક રાજા ! ત્યાર પછી હું આત્મા પરાત્માને નાથ થયે. હવે હું સર્વ પ્રકારના જીવને નાથ છું. તું જે શંકા પામ્યું હતું તે હવે ટળી ગઈ હશે. એમ આખું જગત ચક્રવતી પર્યત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે, માટે હું કહું છું તે કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે, આપણે આત્મા જ દુઃખની ભરેલી વિતરણને કરનાર છે; આપણે આત્મા જ ક્રૂર શામલી વૃક્ષનાં દુઃખને ઉપજાવનાર છે. આપણે આત્મા જ વંછિત વસ્તુરૂપી
For Private And Personal Use Only