________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
દષ્ટાંત –જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં, તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનત્કુમાર ચક્રવતી હતા. તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુધર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ કે બે દેવેને તે વાત રુચી નહીં, પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનત્કુમારને દેહ તે વેળા મેળથી ભર્યો હતો તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચીયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનહર મુખ કંચનવર્ણ કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું,
એટલે ચકવતીએ પૂછયું; તમે માથું કેમ ધુણાવ્યું? દેએ કહ્યું, અમે તમારા રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ એથી અમે આનંદ પામ્યા. માથું ધુણાવ્યું કે જેવું લેકમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનત્કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજજ થઈને સિંહાસન પર બેસું , ત્યારે મારું રૂપ, અને મારે વર્ણ જેવા ગ્ય છે; અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠે છું. જે તે વેળા તમે મારા રૂપ, વર્ણ જુએ તે અદ્દભુત ચમત્કારને પામે અને ચકિત થઈ જાઓ. દેવોએ
For Private And Personal Use Only