________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શ્રી જ્ઞાનપંચમીના ચૈત્યવંદન-૩
શ્યામલ વાન સોહામણા, શ્રી નેમિ જિનેશ્વર; સમવસરણ બેઠા કહે, ઉપદેશ સોહંકર. ||૧|| પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વરસ પંચ માસનો, એ છે તપ પરિમાણ. Iીરી જિમ વરદત્ત ગુણમંજરીએ, આરાધ્યો તપ એહ; જ્ઞાન વિમળ' ગુરુ એમ કહે, ધનધન જગમાં તેહ. lal
ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; ત્રિકરણશું ટિહું લોકજન, નિસૂણો મન રાગે. III આરાધો ભલી ભાતમેં, પંચમી અનુવાલી; જ્ઞાન આરાધના કારણે, એહિજ તિથિ નિહાળી. IIરા જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર; જ્ઞાન આરાધનાથી લહે, શિવપદ સુખ શ્રીકાર. સા. જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન; લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન. ||૪|| જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મનો છે; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની કરે એહ. પણ દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન; જ્ઞાન તણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન. દા. પંચમાસ લઘુ પંચમી, જાવજજીવ ઉત્કૃષ્ટી; પંચવર્ષ પંચ માસની પંચમી કરો શુભ દૃષ્ટિ IIoણી
For Private And Personal Use Only