________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ, છેદન ભેદન વેદના, તાડવ અતિ તિખ. તે ૧૫ કુંભારને ભવે મેં કીધા, નીભાડા પકાવ્યા, તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે ૧૬ હાલી ભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ, સૂડ નિદાન ઘણાં કીયાં, દીધા બળદ ચપેટ. તે ૧૦ માળીને ભવે રોપિયાં, નાનાવિધ વૃક્ષ, મૂળ પગ ફળ ફૂલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે ૧૮ અધોવાઈઆને ભવે, ભય, અધિકા ભાર, પોઠી પૂંઠે કીડા પડ્યા, દયા નાણી લગાર, તે. ૧૯ છીપાને ભવે છેતય, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ કીધા ઘણાં, ધાતુવદ અભ્યાસ. તે ૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માય માણસ વંદ, મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે ૨૧ ખાણ ખણાવી ધાતુની, અળગણ પાણી ઉલેચ્યાં, આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપ જ સંચ્યાં. તે અંગાર કર્મ કીયાં વળી ધરમે દવ જ દીધા, સમ ખાધા વિતરાગના, કૂડાક્રોશ જ કીધા. તે ૨૩ બિલ્લી ભવે ઉંદર ગળ્યા, ગીરોલી હત્યારી, મૂઢ ગમારતણે ભવે, મેં જુ લીખ મારી. તે ૨૪ ભાડભૂ જાતણે ભવે, કેન્દ્રિય જીવ, જવારી ચણા નેહું શેકિયા, પાડતા રીવ. તે ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ કીધાં અનેક, રાંધણ ઇંધણ અગ્નિમાં, કીધાં પાપ ઉદ્રક તે. ૨૬
For Private And Personal Use Only