________________
Shri Mahavir Jain Aradhana Kendra
++++++++++
www. kobatirth.org
• ૫૦૯
શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છેહ; આઠે કર્મ પડે પાતળા, પાપ તણાં છૂટે આમળા. ૨૨ વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહેજિન હર્ષ ઘણે સસસ્નેહ, કરણી દુઃખ હરણી છે એહ. ૨૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ દાન-શીલ-તપ ભાવની સઝાય
(રાગ - અહો અહો સાધુજી સમતાના દરીયા) શ્રી મહાવીરે ભાખીયા, સખી ધર્મના ચાર પ્રકાર રે; દાન-શીયલ-તપ ભાવના, સખી પંચમી ગતિ દાતાર રે. શ્રીમહા૦ ૧ દાને દોલત પામીયે સખી દાને ક્રોડ કલ્યાણ રે; દાન સુપાત્ર પ્રભાવથી, સખી કચવન્નો શાલિભદ્ર જાણ રે. શ્રીમહા૦ ૨
શિયળે સંકટ સવિ ટળે, સખી શિયળે વાંછિત સિદ્ધ રે; શિયળે સુર સેવા કરે, સખી સોળ સતી પ્રસિદ્ધ રે. શ્રીમહા૦ ૩
તપ તપો ભવિ ભાવશું, સખી તપથી નિર્મળ તન્ન રે; વરસ ઉપવાસી ૠષભજી, સખી ધન્નાદિક ધન્ય ધન્ય રે. શ્રીમહા૦ ૪
ભરતાદિક શુભ ભાવથી, સખી પામ્યા પંચમ ઠામ રે; ઉદયરત્ન મુનિ તેહને, સખી નિત્ય કરે પ્રણામ રે. શ્રીમહા૦ ૫ ૧૪૯ દાનધર્મની સજઝાય
ચોગીશ અતિશયવંત, સમવસરણે બેસી હો જગગુરુ: ઉપદેશ અરિહંત, દાનતણા ગુણ હો પહેલે સુખકરૂ. ૧ દાન દોલત દાતાર, દાન ભાંજે હો ભવનો આમળો; દાનના પાંચ પ્રકાર, ઉલટ આણી હો ભવિયણ સાંભળો. ૨
***
પહેલું અભય સુદાન, દયા હેતે હો નિજ તનુ દીજીએ; જિમ મેઘરથ રાજન, જીવ સર્વને હો નિરભય કીજીએ. ૩
For Private And Personal Use Only