________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
********
વિકટ રસ્તા અરે તારા, અતિ ગંભીર ને ઊંડા; ન તને કોઈ શકે જાણી, અતિ તું ગુઢ અભિમાની. અરે૦ ૫
૫૪૩
સદાચારી ને સંતોને, ફસાવે તું રડાવે તું;
કરે ધાર્યું અરે તારૂં, બધી આલમ ફના કરે તું. અરે૦ ૬
અરે આ નાવ જિંદગીનું, ઘર્યું મેં હાથ એ તારે; ડુબાડે તું ઉગારે તું, શુભવીરની આવ વ્હારે તું. અરે૦ ૭ ૧૧૦ ઉત્તરાધ્યયનના દશમા અધ્યયની સઝાય
(રાગ-શ્રી જીનવરને પ્રગટ થયુ રે)
સમવસરણ સિંહાસનેજી, વીરજી કરે રે વખાણ; દશમે ઉત્તરાધ્યનમેંજી, દીયે ઉપદેશ સુજાણ, સમયમેં રે ગોયમ મ કર પ્રમાદ...
વીર જિનેશ્વર શીખવેજી, પરિહર મદ વિખવાદ. સમયમેં ૧ જિમ તરૂ પંડુર' પાંદડુંજી, પડતા ન લાગેજી વાર;
તિમ એ ચંચળ જીવડોજી, સ્થિર ન રહે સંસાર. સમય૦ ૨
ડાભ અણી જલ ઉસ†નોજી, ક્ષણ એક રહે જલબિંદુ; તિમ એ ચંચલ જીવડો જી, ન રહે ઇન્દ્ર નરેન્દ્ર. સમયમેં૦ ૩
સૂક્ષ્મ નિગોદ ભમી કરીજી રે, રાશી ચઢ્યો વ્યવહાર;
લાખ ચોરાશી જીવાયોનિમાંજી, લાધ્યો નરભવ સાર. સમયમેં૦ ૪
શરીર જરાએ જયુજી, શિરપર પળીયા રે કેશ; ઇન્દ્રિય બળ હીણા પડ્યાજી, પગ પગ પેખે ક્લેશ. સમયમેં૦ ૫
ભવસાયર તરવા ભણીજી, ચારિત્ર પ્રવહણ પૂર;
તપ જપ સંયમ આકરાજી, મોક્ષ નગર છે દૂર. સમયમેં૦ ૬
For Private And Personal Use Only
ઇમ નિસુણી પ્રભુ દેશનાજી ગણધર થયા સાવધાન; પાપ પડલ પાછા પડ્યાજી, પામ્યા કેવલજ્ઞાન, સમય૦ ૭