________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ બદ્ધિ તારી ઠકુરાઈ, હું જાણું સવિ લાલા;
જ્યાં મર્યાદા કાંઈ ન દીસે, ચૂકત તારા ચાલા. પ૦ ૪ હું વ્યભિચાર કદીએ ન સૂવું, સિંહણી ચાર ન ખાય; સમુદ્રની વેલ ચઢે આકાશે, પણ પુઢવી ન પલાય. ૫૦ ૫ શીલ સંઘાતે પિંડ બંધાણું, તેણે ન હું જાઉં વાહી; વાહી જાય એ સ્ત્રી બીજી, શાને આણી તે આંહી. પ૦ ૬ પરણીશું પ્રાર્થના કરતો, તું તરણાથી હલકો; દરિયાનો જેમ ગર્વ ઉતરીયો, કર્યો અગત્યે ચુલુકો. ૫૦ ૦ વાંકી નજરે ક્યાં રે જુએ છે, કહું છું તુજને વાણી; મારો દિયર એક અટારો, પાશે તુજને પાણી. ૫૦ ૮ સતી સતાવ્યા શા દુઃખ હોવે, પૂછ મંદોદરી રાણી; શીખામણ તું કાંઈ ન માને, કરતો એકવી કરણી. ૫૦ ૯ મૂક સીતાને કહે મંદોદરી, મૂકતી મૂખ નિઃસાસા રામ અવાજે શરકી લંકા, શી ચુડાની આશા. ૫૦ ૧૦ વૈરી જીતી સીતાને લઈ, રામ અયોધ્યા આવે; લોકની આળે વળી સીતાને, અટવીમાં મૂકાવે. ૫૦ ૧૧ ધીજ કર્યું અંતે સીતાએ, અગ્નિ થયું સવિ પાણી; સુરનર ઠાઠ મલ્યા તિહાં જોવા, શિયળ શુધ્ધ વખાણી. ૫૦ ૧૨ ધન્ય અખંડિત શિયળ જે રાખ્યું, પાળ્યું રૂડી રીતે; શ્રીભાવપ્રભસૂરિ સતી સીતાના, ગુણ ગાવે બહુ રીતે ૫૦ ૧૩ પિક શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરની સજઝાયો
દુહા). શાસન નાયક સુખકરું, વંદી વીર નિણંદ; પૃ વીચંદ્ર મુનિ ગાયશું, ગુણસાગર સુખકંદ ૧
For Private And Personal Use Only