________________
Shri Mahavir Jain Aradhana Kendra
++++++
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી સિજ્જૈભવ ગણધરે, ઉદ્દેશી નિજ પુત્રો રે; સચળ સિદ્ધાંતથી ઉદ્ધરી, દશવૈકાલિક સૂત્રો રે. નમો૦ ૩ માસ છ એ પૂરવ ભણ્યો, દશ અધ્યયન રસાળો રે; આળસ અંગથી પરીહરી, ધન ધન એ મુનિ બાળો રે. નમો૦ ૪
ચારિત્ર ષટ માસ વાહલે, પાળી પુણ્ય પવિમો રે; સ્વર્ગે સમાધિએ સિધાવીઓ, કરી જગ જનને મિત્રો રે. નમો૦ ૫
પુત્ર મરણ પામ્યા પછી, સિજ્જૈભવ ગણધારો રે; બહુશ્રુત દુઃખ મનમાં ધરે, તેમ નયણે જળધારો રે. નમો૦ ૬
પ્રભુ તુમે બહુ પ્રતિબોધિયા, સમ સંવેગીયા સાધ રે; અમે આંસુ નવિ દીઠડાં, તુમ નયણે નિરાબાધ રે. નમો છ
અમને એ મુનિ મનકલો, સુત સંબંધથી મળીયો રે; વિણસે અર્થ કહ્યા થકાં, પણ કેણે નવિ કળીયો રે. નમો૦ ૮
શું કહીએ રે સંસારીને, એ એહવી સ્થિતિ દીસે રે; તન દીઠે મન ઉલ્લસે,જોતાં હિયડલું હીસે રે. નમો૦ ૯ લબ્ધિ કહે ભવિયણ તુમે, મ કરો મોહ વિકારો રે; તો તુમે મનક તણી પરે, પામો સદ્ગતિ સારો રે નમો૦ ૧૦
૫૧ અરણિકમુનિની સઝાય
અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશોજી; પાય અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાળ મુનિશોજી. અરણીક૦ ૧ મુખ કરમાણું રે માલતી ફૂલ ફ્યુ, ઉભો ગોખની હેઠોજી; ખરે બપોરે રે દીઠો એકલો, મોહી માનિની દીઠોજી. અરણિક૦ ૨
વયણ રંગીલી રે નયણે વીંધીયો, ઋષિ થંભ્યા તેણે ઠાણોજી; દાસીને કહે જારે ઉતાવળી, ઋષિ તેડી ઘર આણોજી. અરણિક૦ ૩
+++++++++++ ++++
For Private And Personal Use Only