________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
************ ૪૦૯
વાત જાણી એહ રાણીયે રે, નૃપને ઓળંભો દીધ;
સુણી તેડી ઘર આણીયા રે, વિનય બહુલો કીધ રે. પ્રાણી ૧૦
ભાવી બે જણ ભાવથી રે, પાપ નિવારણ કાજ; મારગ પૂછે મુનિરાજને રે, ભવજલધિમાં જહાજ રે.પ્રાણી૦ ૧૧
નવપદ આરાધન કરો રે, મુનિવર ભાખે એમ; પાપ સકલ દૂરે ટળે રે, લહીયે વાંછિત એમ રે. પ્રાણી૦ ૧૨
રાજારાણી બેઉ તપ તપી રે, થયા મયણાને શ્રીપાળ; પૂર્વ કૃત કર્મ યોગથી રે, આપદ-સંપદ આળ રે. પ્રાણી૦ ૧૩
નવપદ મહિમા અતિ ઘણો રે, કહેતાં ના'વે પાર; ગુરૂ અમૃત એમ ઉચ્ચરે રે, ભાવે સેવો નરનાર રે. પ્રાણી ૧૪ ૪૭ શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય
પ્રણમું તુમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તુમારા પાય; રાજ છોડી રળીયામણું રે, જાણી અચીર સંસાર વૈરાગે મન વાળીચું રે, લીધો સંયમ ભાર. સ્મશાને કાઉસ્સગ્ગ રહ્યા રે, પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઉંચા કરી ને, સૂરજ સામી દૃષ્ટિ લગાય. પ્રસન્ન૦૨ દુર્મુખ ૬ત વચન સુણી ને, કોપ ચઢ્યો તત્કાળ; મનશું સંગ્રામ માંડીયો રે, જીવ પડ્યો જંજાળ. પ્રસા૦૩ શ્રેણીક પ્રશ્ન પૂછે તે સમે રે, સ્વામી એહની કુણ ગતિ થાય;? ભગવંત કહે હમણાં મરે તો, સાતમી નરકે જાય.પ્રસા૦૪ ક્ષણ એક આંતરે પૂછીયુ રે, સર્વારથ સિદ્ધ વિમાન; વાગી દેવની દુંદુભી રે, ઋષિ પામ્યા કેવળજ્ઞાન. પ્રસન્ન૦૫ પ્રસન્નચંદ્ર ઋષિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્યઃ રૂપવિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ. પ્રસન્ન૦૬
****
For Private And Personal Use Only
પ્રસા૦૧