________________
Shri Mahavir Jain Aradhana Kendra
***
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
****
શ્રી રત્નાકર પચ્ચીશી
મંદિર છો મુક્તિતણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ, સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના ઘણું જીવ તું ઘણું જીવ તું, ભંડાર જ્ઞાનકળા તણા. ૧
ત્રણ જગતના આધાર ને, અવતાર હે કરુણા તણા, વળી વૈધ હે દુર્વાર આ, સંસારના દુઃખો તણા, વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચનું જાણો છતાં પણ કહી અને આ, હૃદય હું ખાલી કરું. ૨
શું બાળકો મા-બાપ પાસે, બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી. ૩
મેં દાન તો દીધું નહિ ને, શીયળ પણ પાળ્યું નહિ, તપથી દી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ, એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ મેં નવ કર્યું, મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪
હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન ! મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. ૫
મેં પરભવે કે આ ભવે પણ, હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહિ, જન્મો અમારા જિનજી !, ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. ૬
For Private And Personal Use Only
૨૩
+++++++++++++++++++/