________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬૬
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***
જગતજંતુ હિતકારક, તારક જગધણી,લ૦ તુજ પદ પંકજ સેવ, હેવા મુજને ઘણી. લ૦ ૧ આવ્યો રાજ હજુર, પૂરવ ભગતિ ભરે,લ૦ આપો સેવના આપ, પાપ જિમ સવિ ટળે; લ તુમ સરિખા મહારાજ, મહેર જો નવિ કરે, લ૦ તો અમ સરિખા જીવના, કારજ કિમ સરે.લ૦ ૨
જગ તારક જિનરાજ, બિરૂદ છે તુમ તો, લ૦ આપો સમકિત દાન, પરાયા મત ગણો; લ૦ સમરથ જાણી દેવ, સેવના મેં કરી, લ તુંહિ જ છે સમરથ,તરણ તારણતરી. લ૦ ૩
મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુક્લ ધરી,લ ધાતિ કરમ કરી અંત કે, કેવલશ્રી વરી; લ૦ જગ નિસ્તારણ કારણ,તીરથ થાપીયો, લ૦ આતમ સત્તા ધર્મ, ભવ્યને આપીયો. લ૦ ૪ અમ વેળા કિમ આજ, વિલંબ કરી રહ્યા, લ જાણો છો મહારાજ, સેવકે ચરણાં ગ્રહ્યાં; લ મન માન્યા વિના માહરૂં, નવિ છોડું કદા, લ૦ સાચો સેવક તેહ જે, સેવ કરે સદા. લ૦ ૫
વજ્રા માત સુજાત, કહાવો શું ઘણું,લ આપો ચિદાનંદ દાન, જનમ સફલો ગણું; લ જિન ઉત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીયે, લ રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીયે. લ૦ ૬ શ્રી નેમિનાથજિન સ્તવનો - ૦
૧
પરમાતમ પૂરણકલા, પૂરણ ગુણ હો પૂરણ જન આશ; પૂરણદૃષ્ટિ નિહાલીએ, ચિત્ત ધરીયે હો અમચી અરદાસ ૫૦ ૧
For Private And Personal Use Only