________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૧ ) ઉપર એવા જીવડા થશે નહીં. સમ્રાળુનાં ઝાડ કાળી અને રાતી જમીનમાં સારાં થાય છે.
' અંજીર.
FIG. (N. 0. Urticaceve.) અંજીરની મુખ્ય બે જાતે છે, ઘેળાં અને કાળાં અથવા જાંબુ રંગનાં; એમાંથી બીજી જાતનાં ફળ સ્વાદે વધારે સારાં હોય છે.
અંજીરનાં ઝાડને વર્ષમાં બે ફાલ આવે છે. એક ઉનાળામાં અને બીજે માસામાં, તેમાં પહેલા ફાલના ફળમાં મીઠાશ વધારે હોય છે. ચોમાસાના ફાલમાં મીઠાસ કમાતી હોય છે. એ ફળ ઘણું પિષ્ટિક છે. એ સુકવીને રાખ્યાથી ઘણી મુદત રહે છે.
કાંપવાળી જમીનમાં અંજીર ઘણું સારાં થાય છે. પીળા રંગવાળી અને રાળ જમીનમાં પણ તે સારાં થાય છે. ઘણી કાળી ઊંચી જમીનમાં એનાં ઝાડ ઊંચાં અને જેરમાં ઉગે છે, તેને પાન ઘણું અને મોટાં આવે છે પણ ફાલ સારો આવતો નથી. એવી જમીનમાંનાં ઝાડને ઝીણું ફળ બેસે છે અને તેને સ્વાદ હોતો નથી. અનુભવથી એવું જાણવામાં આવ્યું છે કે, ઘણી કાળી જમીન જે બીજા ઘણા ખરા છોડ મેલને ઉત્તમ ગણાય છે, તે અંજીરને માફક આવતી નથી. જે જમીનમાં ચુનાને અંધ ઝાઝે હેય છે, તેમાં અંજીર ઘણાં સારાં થાય છે. અંજીર માટે જમીન ત્રણ ચાર ફુટથી વધારે ઊંડી હવાની જરૂર નથી, બલકે ન હોય તે સારી.
વર્ષની શરૂઆતમાં સારી જોતાં અંજીરનાં ઝાડની ઘણી જુની નહી તેમજ ઘણી કુમળી નહીં એવી એક આંગળથી બે
For Private and Personal Use Only