SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ. ( 153) અર્થક્ષય રોગવાળાએ દૂધ અને ઘી સાથે વધતી જતી પિપરે ખાવાનો પ્રયોગ કરે. તે એવી રીતે કે પહેલે દીવસ પાંચ, પછી સાત, પછી નવ, પછી અગિઆર, પછી તેર પછી પંદર, પછી સત્તર, પછી ઓગણીશ, પછી એકવીશ, એવી રીતે દરરોજ બે બે વધારે લેવી. અને એવી રીતે સે પિંપરો એક દિવસે ખાવામાં આવે ત્યાં સુધી વધતા જવું પછી પાછા એજ રીતે બે બે પિંપર કમી કરતાં પાંચ પિંપર સુધી આવી રહે ત્યાં સુધી ઉતરતાં જવું. એ પિપરનું ચુર્ણ મધ સાથે ચાટવું તથા તે ઉપર દુધ ને ઘી પિવું. આ યોગ કરનારે સાઠી ચોખાને ભાત, મગ, અને ઘી ખાવાં તે પશ્ચ છે. એ પ્રયોગથી વૃધ્ધાવસ્થાનાં પલિયાં આવ્યાં હોય તે, તથા વૃદ્ધાવસ્થા સબંધી નિર્બળતા નાશ પામે છે. અને પુરૂષના માં હાથીના જેટલું બળ આવે છે. જીર્ણજવરમાં આ પ્રયોગ કરવામાં આવે તે ઘણો જ ફાયદે આપે છે, તેમજ જઠરાગ્નિ મંદ હોય, પિન્સ (છોડ) રોગ થયો હોય, અથવા આ રો ગ થયું હોય, તે તેમાં પણ જરૂર તે ફાયદો આપે છે. વિર્ય વૃદ્ધિ કરનાર–બલાદિ કવાથ. - (દેહ) એષ્ટિ ગળે બળબીજને લધુ પંચમુળ પખ, સાકર મધ તેમાં ધરી, સ્પષ્ટ કવાથ ઉવેખ. તે પીવા થકિ કામનું, વાધે જેર વિશેષ; કહે ભાઈશંકર કવાથ આ સેવ દઉ ઉપદેશ. For Private and Personal Use Only
SR No.020088
Book TitleAyurvedaditya
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year1899
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy