________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
રસમાં ખૂબ ઘૂંટી ચણા જેવડી ગોળીઓ વાળી આપવાથી તમામ પ્રકારના શ્વાસરોગ મટે છે. તેમજ એ ભસ્મ ભેંયરીંગણના રસમાં વાલ બે આપવાથી ઉધરસ તથા શ્વાસરોગ મટે છે.
ઘાપહાણુભસ્મ -ધળી ડુંગળીને ચીરી વચ્ચે ઘાપહાણની કટકી મૂકી કપડમટ્ટી કરી થોડાં છાણુમાં ફેંકી દેવાથી સારી ભસ્મ થાય છે.
બીજી વિધિ –એક માટીના વાસણમાં કુંવારને રસ ભરી તેમાં ઘા પહાણ નાખી મુખમુદ્રા કરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. આ ભસ્મના ગુણ ઘણું છે. વિશેષમાં આ ભસ્મ બાળકના રોગમાં બહુ ફાયદો કરે છે.
પ્રવાલભસ્મ -પરવાળાને એક અહોરાત્ર લીંબુના રસમાં પલાળી મૂકવાં. પછી તેને કુંવારના લાબામાં ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. - બીજી વિધિઃ-પ્રવાલને આકડાના દૂધમાં ત્રણ અહેરાત્ર પલાળી એક સંપુટમાં આકડાનું દૂધ ભરી તેમાં પરવાળાં ભરી ઉપર કુંવારને ગર્ભનાખી કપડમટ્ટી કરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. - ત્રીજી વિધિ –નાગલા દુધેલીના રસમાં ઉપર પ્રમાણે કરવાથી ભસ્મ તૈયાર થાય છે.
ચેથી વિધિ -કાળી દ્રાક્ષ શેર ૧ લઈ ઠળિયા કાઢી નાખી દ્રાક્ષને વાટી લુગદી કરી, તેમાં પરવાળાં ભરી સંપુટમાં ભરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
પાંચમી વિધિઃ-ગુલાબજળમાં ત્રણ અહેરાત્ર પ્રવાલને ઘૂંટવાથી ભસ્મ થાય છે.
શખભમ:-શખના કટકા લઈ લીંબુના રસમાં પલાળી રાખવાથી શુદ્ધ થાય છે. પછી કુંવારના રસમાં નાખી એક વાસ
For Private and Personal Use Only