________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી બકરીના દૂધમાં ગોળી વાળી સૂકવવી. એ ગોળી બકરીના દૂધમાં ઘસી અંજન કરવાથી આંખની ઝાંખ મટે છે.
–માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા ૧. શરૂઆતને મોતિયો તથા ઝાંખા-સરપંખાનાં બીનું સુરમા જેવું બારીક ચૂર્ણ કરી દિવસમાં બે વખત આંજવાથી શરૂઆતને મેતિયા તથા ઝાંખ મટે છે.
૨, આંખનાં સાધારણ દર્દી માટે -ત્રિફળાને ક્વાથ કરી તેનાં ટીપાં મૂકવાં, તે પાણીથી ધોવું તથા તે પાણીનાં પિતાં મૂકવાં. આથી ખીલ, તાપેલિયાં, ખૂજલી, આંખની ગરમી, લાલાશ વગેરે મટે છે.
–વૈદ્ય નુરમહમદ હમીર–રાજકોટ આંખનું ફૂલું-ચંદ્રોદયાવતી કાંસાના વાસણમાં ઘસી બે વખત અંજન કરવાથી આંખનું ફૂલું મટે છે.
–ઘ આણંદજી અને પીતાંબર સવ-ઉના ૧. આંખનું ફૂલું -એક માણસને આંખમાં મેટુંકેર જેવું ફૂલું પડયું હતું, તેણે ઘણું ઉપાય કર્યા છતાં મટયું નહિ. પછી એક ગામડાને માણસ આવ્યો તેને કહેતાં રાયણનાં બી આપ્યાં, એ બી વડના દૂધમાં ઘસી ત્રણ વખત આંજવાથી કૂલું મટી ગયું. આ નજરે જોયેલું છે તેમજ મેં આ પ્રયોગને અજમાવી જોયે છે.
૨. રાયણનાં બી બારીક વાટી સરસડા (કાળિયા સરસ) ના પાનના રસમાં ચારપાંચ દિવસ ખૂબ ખરલ કરી વડના દૂધમાં પાંચ-છ દિવસ ખરલ કરી આંજવાથી ફૂલું મટે છે.
–ડૉકટર ચંદુલાલ મુકુંદરાય–પાટણ
For Private and Personal Use Only