SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો ચાપડી દિવસમાં બે વાર ખાવાથી શ્વાસ, ખાંસી, પ્રમેહ, કફ્ વિકાર, પિત્તવિકાર મંદાગ્નિ, ક્ષય અને ઉદરશુળને મટાડે છે. આ તેલ પ્રમેહ ઉપર ઘણાજ ફાયદા કરે છે. ૨. સામલનાં ફલઃ-સામલ શેર ૦ા લઈ તેને લીંબુના રસમાં એક દિવસ ઘૂંટવા. પછી માટીની હાંડલી નંગ એ લાવી તેના મુખને ઘસીને અધબેસતી કરવી. પછી એક વાસણમાં સેામલની લૂગદી મૂકી બીજું વાસણ તે ઉપર ઊંધું મૂકી તેના સાંધાને મજબૂત સાંધી લેવા, પછી તડકે સુકાવી તે સાંધા પાછા અંધ કરી ધુમાડા નીકળે નહિ તેવી રીતે ખંધ કરી ચૂલે ચડાવી રોટલા શેકાય એટલેા હલકા અગ્નિ આપવેા. અને ઉપરના માટલા ઉપર ઠંડા પાણીનાં પાતાં મૂક્તાં જવાં. એ પ્રમાણે એ પ્રહર સુધી કરી સ્વાંગ શીતળ થાય ત્યારે ઉપરની હાંડલીમાંથી વળગેલાં ફૂલ છરી વતી ઉખેડી કાઢી લેવાં. તેમાંથી એક ચેાખાપૂર પતાસામાં મેળવી ખાવા આપવાથી શ્વાસ, દમ, ઉધરસ અને ક્ષય જેવા મહાન વ્યાધિને મટાડે છે. આ માત્રા ખાવાવાળાએ ધ સાકર, ઘી તથા ચેાખા એ સિવાય બીજો ખારાક ખાવા નિહ. આથી જરૂર રાગ મટે છે. ૩. કુષ્માંડ (કાળું') ની જડ કે જેના ઉપર ફળફૂલ આવી ગયાં હાય, તેની જડ લાવી વાટી વસ્ત્રગાળ કરીને શીશીમાં રાખી મૂકવું. તેમાંથી એ માસા થેાડા ગરમ પાણી સાથે સવારસાંજ આપવું. જરૂર હોય તે ત્રણ વાર આપવુ'. એથી વધારે વાર આપવું નહિ. કફના વધારામાં જ્યારે શીત જણાય ત્યારે મધ સાથે આપવું, પથ્યમાં તેલ, મરચુ' તથા ખટાશ આપવાં નહિ. ઘણા ગરમ તથા ઘણા ઠંડા ખારાક આપવા નહિ, જ્યારે અ'ગ્રેજી યુનાની દવાએ શ્વાસ ઉપર નિષ્ફળ નીવડે છે, ત્યારે આ દવા તેહમ'દીથી શ્વાસને બેસાડી સારી કરે છે. આ દવા ઘણા દરદીઓ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy