SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા ઉપરની વિધિ વડે મનુષ્યને નિરામ કરવાની જરૂર વિના, વરને નસાડી મૂકે છે. એટલે પ્રભાવનું વર્ણન કરવું એ અમારી શક્તિની બહાર છે. આ વિષયમાં અમારી બુદ્ધિ પ્રમાણે ટુંકાણ માં કહેવામાં આવ્યું છે, પરંતુ વિદ્વાન અને પડિત વૈદ્યો કે જેઓ દ્રવ્યની શક્તિ અને પ્રભાવને જાણનારા હોય તેઓ, જેટલું જેટલું જાણતા હોય તેટલું, મનુષ્ય પ્રાણીના હિતાર્થે અથવા જગતના ઉપરાકાળે પ્રસિદ્ધિમાં લાવી, સહેલામાં સહેલી રીતે રોગો કેમ નાશ પામે, તે ઉપર અજવાળું પાડી પિતાની વિદ્યાને પ્રકાશ જનસમૂહ પર પાડવા ચૂકશે નહિ; એવી આગ્રહપૂર્વક વિનંતિ કરી, આ વિષય સંપૂર્ણ કરીએ છીએ. छाणीमाचनी उत्पत्ति अन्के मनुष्य शरीरनी रचना जगद्योनेरनिच्छस्य चिदानंदैकरूपिणः । पुंसोऽस्ति प्रकृति नित्या प्रतिच्छायेव भास्वतः॥ अचेतनादि चैतन्य योगेन परमात्मनः। अकरोद्विश्वमखिलमनित्यं नाटकाकृतिः॥ પ્રાણુમાવની ઉત્પત્તિ કહો કે જગતની ઉત્પત્તિ કહે, પણ એ બેઉ સામાન્ય રીતે એકતાવાચકજ છે; પરંતુ આપણે આ સ્થળે વૈદકીય વિષયની ચર્ચા કરતા હોવાથી પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને તેના શરીરની રચના, એ વિષય રાખવાની જરૂર પડી છે. જેને આપણે જગત કહીએ છીએ તે જગતમાં ચાર વસ્તુ અનાદિ માનવાની જરૂર પડે છે. ઈશ્વર, પ્રકૃતિ, આત્મા અને આત્માનાં For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy