SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો આત હોય, તાવ મધ્યમસરનો કાયમ રહેતું હોય, શરીર નિસ્તેજ . થતું જતું હોય, દિન પર દિન શક્તિ ઘટી જતી હોય, એટલે ક્ષયને રોગી પહેલા પગથિયા ઉપર ઊભે રહી, બીજા પર ચઢવાને તૈયાર થયું હોય, તેને કંટકાર્યાવલેહ અર્ધો તોલે સવારે અને અધે તે રાત્રે ગરમ પાણીમાં ઉકાળીને આપવાથી એક અથવા બે માસમાં તે રોગથી મુક્ત થાય છે. જે રેગીને લુખી ખાંસી અથવા બળખાવાળી ખાંસી લાગુ પડી ચૂકી છે, તે સાથે ઝીણે તાવ આવે છે અને શક્તિ એકદમ ઘટવા માંડી છે, તે રોગીને દ્રાક્ષાસવ તેલે દેઢ બપોરે જમ્યા પછી તુરત તથા રાત્રે જમ્યા પછી તુરત પાવે. આ દ્રાક્ષાસવ ભૂખ્યા પેટે પાવે નહિ. જે ત્રણ વાર પાવાની જરૂર જણાય તે સવારમાં સાકર-એલચી નાખી ઉકાળેલું દૂધ શેર અર્થે અથવા બે રૂપિયાભાર ઘીને સાકરને શીરે ખવડાવી તે ઉપર દ્રાક્ષાસવ પીવાથી પેટમાં દાહ થાય છે, મળને સૂકવી નાખે છે અને માથામાં ચક્કર આવે છે. માટે કાંઈ પણ ખોરાકની ઉપર આપવાથી એકદમ શરીરમાં લેહીને વધારે કરી રોગીના મુખ પર તેજ લાવી શરીર સશક્ત બનાવે છે. અથવા એવા રોગીને સવારમાં મધ, ઘી, માખણ અથવા સાકર સાથે બંગ ભસ્મ વાલ અર્ધો ચટાડી, બપોરે જમ્યા પછી તથા રાત્રે વાળુ કર્યા પછી એકથી બે તેલા સુધી દ્રાક્ષાસવ પાવાથી ઘણે જ ફાયદો થશે. માત્ર આ દ્રાક્ષાસવ હાંફવાળા રેગીને આપે નહિ. જે રેગીને શરૂઆતમાં પ્રમેહ થયો હોય તે પ્રમેહ મટી ગયા પછી સહેજ કસર બાકી રહી હોય તેની નબળાઈને લીધે શરીર સુકાતું જતું હોય ને સાથે લૂખી ખાંસીને ઉપદ્રવ હોય, તે નાગભમ બે ખાપૂરને આશરે દિવસમાં ત્રણ વાર ઘી અથવા માખણ સાથે આપવાથી અને ઉપરથી દ્રાક્ષાસવ પાવાથી ઘણેજ ફાયદો થાય છે. એવી જ રીતે પ્રમેહમાંથી અથવા સ્વદેષમાંથી અથવા સ્ત્રી For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy