SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડરગ, કમળ અને રક્તપિત્ત ૫૬૫ - - - - - - - - - - - ૩. મંડૂરવટક-હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, અબ્રક, પીપળામૂળ, ચીતરે, દેવદાર, સૂવર્ણ માક્ષિક ભમ, તજ, દારુહળદર, નાગરમોથ, વાયવડિંગ એ સરખે વજને લઈ ચૂર્ણ કરી, તે ચૂર્ણની બરાબર મંડૂરભમ મેળવી, તે સર્વથી આઠગણું મૂત્ર લઈ, તેમાં ઉપલું ચૂર્ણ નાખી, ચૂલા ઉપર પકાવી, ગેળી વળે તેવું થાય ત્યારે તેની બે આનીભાર ગળી વાળી ઉપલા ક્વાથ સાથે આપવાથી પાંડુરંગ મટી જાય છે. ૪. કમળા માટે -ગળ, નિબછાલ, કરિયાતું, કડુ, હરડાં, બહેડાં, આમળાં અને અરડૂસો એને કવાથ કરી મધ તથા મહેંરમ મેળવી પીવાથી કમળો મટી જાય છે. ૫. કમળા માટે અંજન-હળદર, આમળાં, ગેરુ અને ફટકડી પાણીમાં ઘસી આંખમાં આંજવાથી કમળો મટે છે. ૬. કમળા માટે નસ્ય-કૂકડવેલને રસ કાઢ અને દરદીના મેંમાં થોડું ઘી આપી નાકમાં તે રસનાં ટીપાં મૂકવાં (એકબે ટીપાં મૂકવાં તથા ઘી મેમાં રખાવવું) એટલે નાકમાંથી પીળું પાણી નીકળી જશે. ખૂબ પાણી નીકળે ત્યારે ઘી સુંઘાડવું અને મોઢામાંથી કાઢી નંખાવવું જેથી એક જ દિવસમાં કમળો મટે છે. ર–વૈવ બાલાશંકર પ્રભાશંકર-નાંદેદ વાડમાં એક વેલે થાય છે તેનું નામ લખવે છે. એ વેલાને ફળ લાગે છે. તેના ફળ પર કાંટા થાય છે. અને બીજ નીકળે છે. તે વરસાદમાં પાકે છે. તે બીજ ૧ અથવા ૨ પાવાથી પાંડુરોગ, કમળો ઉપરાંત ધનુર્વાયુ પણ મટી જાય છે. -માસ્તર લલ્લુભાઈ નાથાભાઈ-બે ૧ કડવા તુંબડાના કકડા કરી, દેવતાના અંગારા બરાબર For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy