SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -कृमिरोग જે માણસ અજીર્ણ ઉપર ભજન કરતે હોય, હંમેશાં મીઠા તથા ખાટા પદાર્થો ખાતે હોય, કઢી જેવા પાતળા પદાર્થોનું સેવન કરતો હેય, રોળ અને લેટના પદાર્થ જમતો હેય, કસરત ન કરતો હોય, દિવસે સૂવાની ટેવવાળો હોય અને દૂધ તથા માછ. લાંને ખાનારે હોય તેને કૃમિરોગ થાય છે. તેમાં અડદ, ઘેબર, ક્ષાર, ગોળ અને લીલાં શાકભાજીનું સેવન કરનારને કૃમિ થાય છે. તે કૃમિના રોગીના કૃમિ મળદ્વારના માર્ગ બહાર સરી પડે છે. તેઓ મેટા થયા પછી આમાશય તરફ આવે છે, ત્યારે રોગીને ઓડકારમાં અને શ્વાસમાં વિષ્ટાની ગંધ આવે છે. આ કૃમિઓ કદે જાડા, પુષ્ટ, ગેળ, બારીક, લઠ્ઠ અને રંગે લીલા, પીળા, કાળા તથા ધેાળા હોય છે અને તેને કકેક, મકેરુક, સૌરાદ, મલુન અને વેલી એવાં પાંચ પ્રકારનાં નામ આપવામાં આવ્યાં છે. જ્યારે મળાશયમાં અપાનવાયુને હીનાગ થવાથી તથા કલેદન કફને અતિગ થવાથી વિષ્ટા રોકાઈ જાય છે, ત્યારે જે કૃમિ ઉત્પન્ન થાય છે. તે કૃમિઓ પેટમાં આડાઅવળા ફરતા થવાથી પાતળા ઝાડા, ચુંક, પેટનું ચડવું, શરીરનું સુકાઈ જવું, શરીર લૂખું તથા પીળું પડવું, રૂવાટાં ઉભાં થવાં, અગ્નિ મંદતા અને મળદ્વારમાં ચળ એટલા ઉપદ્રો ઊભા થાય છે. તેવી રીતે માંસ, અડદ, ગોળ, દૂધ, દહીં, કાંજી તથા અથાણાનું અતિસેવન કરવાથી કફમાંથી કૃમિ થાય છે. એટલે આમાશયમાં રહેલા કલેદન કફને અતિગ થવાથી અને પકવાશયમાં રહેલા પાચકપિ ત્તને હીનયોગ થવાથી અપાનવાયુ મળને ખેંચવા અશક્ત થવાથી તે મળમાં જે જતુઓ પડે છે, તે જંતુઓ પેટમાં ચારે બાજુએ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy