SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ક.. . . - - - ---- -- ના (વળીમાં) થાય છે, તેથી ખૂની અને બાદી એવી બે જાતનાં ત્રણ સ્થાન ગણતાં છ પ્રકાર થાય છે. ખૂની હરસમાંથી લેહી પડે છે અને બાદીમાંથી લેહી પડતું નથી પણ તેમાં ફાટચાલે છે. તે ખૂની અને બાદી બે પૈકી કઈ પણ જાતના હરસ, ગુદાની પહેલી વળીમાં થયા હોય તે તે બહાર દેખાયા કરે છે અને બીજી વળીમાં હોય તે ઝાડો થતી વખતે તે બહાર નીકળે છે અને પાછા ઉપર ચડી જાય છે, પણ ત્રીજી વળીવાળા મસાઓ કોઈ પણ વખતે બહાર નીકળતા નથી પરંતુ અંદર રહીને જ પીડા કરે છે. તે ઉપરથી એટલું કહી શકાય છે કે પહેલી વળીવાળા હરસ સાધ્ય છે, બીજીવાળા કષ્ટસાધ્ય છે અને ત્રીજી વળીમાં થયેલા અસાધ્ય છે. એ પ્રમાણેનું વિવેચન અમારા અનુભવ પ્રમાણેનું કર્યા પછી, શાસ્ત્રરીતિએ હરસને રેગનું પૃથક્કરણ કરવાની જરૂર જણાતી નથી. કારણ કે માધવનિદાને જુદી જુદી જાતના ખોરાકથી અને જુદી જુદી જાતનાં કાર થી છ પ્રકારના હરસનું વર્ણન કરેલું છે. જેણે જાણવાની ઈચ્છા હોય તેણે માધવનિદાન, ભાવપ્રકાશ, વામ્ભટ્ટ ને ચરકસંહિતાનું નિદાનસ્થાન જોઈ લેવું. આ રોગના ઔષધ માટે શાસ્ત્રોમાં બહુ સાલગુડ, સૂરણવટક, અમૃતભ@ાતકાવલેહ,લેહભઠ્ઠાતકાવલેહ, બ્રહતકવ્યાદરસ વગેરે ઘણા ઉપાયે લખેલા છે; પરંતુ તે બાબતમાં મારે અનુભવ નહિ હોવાથી તેના ઉતારા કરી વિસ્તાર કરવામાં આ નથી, પણ એ રોગને માટે જે અનુભવ અમને થયો છે તે વૈદ્યોની જાણ માટે અહીં આપીએ છીએ. જે ગુદાની ત્રીજી વળીમાં બાદીમસા થયા હોય ને ઝાડે ઊતરતે ન હોય એટલે તેમાં વિશેષ ફાટ ચાલતી હોય તો કાળી દ્રાક્ષ, સેનામુખી, રેવંચીની ખટાઈ, હરડાં, બહેડાં, આમળાં, ઇંદ્રજવ અને વાચવગતેલ તેલ લઈ, તેને અધકચરાં ખાંડી રાત્રે શેર પાણીમાં પલાળી મૂકવાં. સવારે તે ભૂકાને ચોળીને તેમાં બે રૂપિઆભાર ગોળ મેળવીને, કપડે For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy