SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે દૂધ, દહીં અથવા માંસના ચેલા પાણીના રંગ જે હોય છે, અથવા જે ઝાડે કાળે, આસમાની, સિંદરિયા રંગને, તરેહવાર રંગને, ચળકતે, મેરની પીઠ પર જેવા ચાંદલા હોય છે તેવા તેના ઉપર ધાતુ નેહના ચાઠાવાળે, વળી ઘટ્ટ, મુડદાની કે મજજાની દુધી જે ઘણે મળ પડે; એ ઉપરાંત રોગીને તરસ ઘણી લાગે, બળતરા થાય, અન્ન પર અભાવ થાય, ધાસ ચાલે, હેડકી આવે, પાંસળાંમાં શૂળ મારે, દિયે બેશુદ્ધ થાય અને રોગીના મળદ્વાર પર ચાંદી પડે તથા લવારે કરે તે રોગીને જીવવાની આશા રાખવી નહિ. આ પ્રકારનાં તમામ લક્ષણે એકી વખતે જોવામાં આવતાં નથી પણ એક અથવા બે લક્ષણ જોવામાં આવે તો પણ તેને અને સાધ્ય ગણવે. તેમાં પણ જે રોગીની ગુદા ઝાડા થયા પછી સંકે ચાય નહિ તે તે જરૂર મરણ પાસે આવ્યું છે એમ જાણવું. જે રોગીને ઝાડા થવા છતાં તેનું પેટ ચડતું હોય, શરીરે સોજા આવ્યા હોય, જઠરાગ્નિ નાશ પામ્યો હોય, શરીર ઠંડું પડી ગયું હોય, એવા રેગીના જીવતરની આશા વૈદ્ય છોડી દેવી. જે રોગીને જે ચડ્યો હોય, ચૂંક આવતી હોય, તાવ આવતો હોય, તરસ લાગતી હોય, ઉધરસ તથા શ્વાસ ચડતો હોય, અન્ન પર અભાવે થતો હેય, ઊલટી, મૂછ અને હેડકી આવતી હોય, આવા ઉપદ્રવ વાળે જે રેગી હોય તેનું ઓસડ વૈધે કરવું નહિ. જે બરાબર ઓળખી શકાતી નથી અને જેને ઓષધોપચાર ગુણકારક થતા નથી, તેવી સંગ્રહણી મટતી નથી પણ ઘણા કાળ સુધી રહે છે. સંગ્રહણી તથા અતિસારમાં સોજા આવ્યા હોય, પણ જો તે જે ઉપથ ઈદ્રિય પર આવ્યું હોય તે રોગ અસાધ્ય છે એમ માનવું; પણ વધુમાં વધુ સેજા આવ્યા હોય, શરીર પીળું પડી ગયું હોય, ભૂખ છવાઈ ગઈ હોય, ખાંસી ચાલતી હોય, રોગી ગભરાતો હોય અને શક્તિ હીન થઈ ગઈ હોય તે પણ જે ઉપસ્થ દ્રિય પર સોજો For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy