SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - --- - -- - - - અતિસાર, સંગ્રહણી તથા અર્શી રોગ ૪૩૭ છે, જેથી રોગીને ચક્કર આવે છે. ઉદાનવાયુને અતિયોગ થવાથી કાનમાં અવાજ થાય છે અને પડખામાં પીડા થાય છે. તેમ રાંગ્લેપણ કફને વ્યાનવાયુ સૂકવવાથી સાથળના સાંધામાં અને જગ્યું (હાંસડી)ના સાંધામાં પીડા થાય છે. અવલંબન કફન હીન ગથી પાનવાયુ હૃદયમાં પીડા કરે છે અને એકંદરે સમાનવાયુ, અપાનવાયુ તથા પાનવાયુની ઓફિસમાં અવ્યવસ્થા થવાથી શરીર દૂબળું થાય છે અને પિત્તના હીનયેગથી બળ ઓછું થાય છે; જેથી શરીરમાં વિરપણું એટલે તેજ ઘટી જાય છે. પિત્તના હીન ગથી પિત્તને ઉત્પન્ન કરનારા તથા પિત્તને કપાવનારા સઘળા રસ ખાવાની ઈચ્છા થાય છે, મનમાં ગ્લાનિ થાય છે. સમાનવાયુના અતિવેગથી અન્ન પાચન થતું હોય તે પણ તે પચેલે ખેરાક રજકપિત્તના હીનાગને લીધે, યકૃત લઈ શકતું નથી; તેથી પેટમાં આફરો થાય છે અને તે આફરાને લીધે અપાનવાયુ એકઠા થઈ, આંતરડાંમાં ગેળાના આકારની એક ગાંઠ ઉત્પન્ન કરી, આંતરડામાં ચારે બાજુએ ફેરવે છે. આથી વખતે ઘણે વૈદ્યોને ગુલમની શંકા થાય છે, તેથી રોગીને ઘણી વારે છેડે થોડે વારંવાર પાતળ, સુકાયેલો, કાચું અને શબ્દ સાથે ફીણવાળે ઝાડો થાય છે, તેને વાતસંગ્રહણી કહે છે. ૨. પિત્તસંગ્રહણી -ઘણાં તીખાં, કડવાં, બળતરા કરનારાં, ખાટાં તથા ખારાં ભેજનથી પિત્તને અતિગ થાય છે. તેથી સમાનવાયુ પાતળા થવાથી રંજકપિત્તને અન્નને રસ પહોંચાડી શકતો નથી. આથી રંજકપિત્તને રહેવાનું સ્થાન જે યકૃત છે તેને એક ભાગમાંથી પાચક રસ એટલે ખાટા પદાર્થ પક્વાશયમાં નાખવાને કામ ચાલુ રહેવાથી, તે ખાટા રસમાં રહેલું પિત્ત પાચકપિત્તને ઠારી નાખે છે. આથી સાધક પિત્તમાં રંજકપિત્ત લેહીને મેકલી શકતું નથી, તેથી પિત્ત મળેલા રુધિરને રંગ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy