SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા માણસે ભેગા સૂવું નહિ, કેઈનું પીધેલું પાણી પીવું નહિ, કેઈન એઠા વાસણમાં જમવું નહિ, કાંસાનું પાત્ર કેઈને અડકાડવું નહિ, બે માણસે હાથ ઝાલી સાથે ચાલવું નહિ, કેઈનું પહેરેલું કપડું પહેરવું નહિ. અર્થાત્ ટૂંકામાં કહીએ તે આપણા દેશમાં જે સ્પર્શાસ્પર્શ, ભક્ષાક્ષ અને પિયા પેયને વિવેક ચાલુ થયે છે, તે ખાસ આ વિવિદ્યાને અવલંબીને થયેલ છે. હવે આપ લેકેના ધ્યાનમાં આવ્યું હશે કે આયુર્વેદ તે વેદધમની પેઠે પૂર્ણ વર્મ છે, અને વર્તમાન “પથી એ તે મત, પંથ કે સંપ્રદાયની જેમ ફાંટાઓ છે. માટે વિચારવાન પુરુષે એ જ્ઞાનના ભંડારરૂપ અને વિદ્યાના સમુદ્રરૂપ આયુર્વેદરૂપી મહાસાગરનું મથન કરી, કેવળ નિષ્કામવૃત્તિથી અને પરમાર્થ બુદ્ધિથી મહર્ષિઓએ જગતના ઉપકાર માટે જે સંહિતાઓ નિર્માણ કરેલી છે, તેના રહસ્યને સમજીને જે જે તત્ત્વનું નિરીક્ષણ થાય તે જનહિતાર્થે પ્રકટ કરી, તેને વિસ્તારપૂર્વક સમજાવી, પોતાના સમયને સદુપયેગ કરો એજ કર્તવ્ય છે. " - - ३-आयुर्वेदन वनस्पतिशास्त्र ------- -- --- આદિ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીમાત્રને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. સ્વેદ, ઉભિજ, અંડજ અને જરાયુજ. તે પકી ઉભિજજ એટલે જમીન ફાડીને નીકળનારા જીવમાં વનસ્પતિનો સમાવેશ થાય છે. વનસ્પતિ અસંખ્ય અને અનંત છે. તેપણ વિદ્વાન લેકેએ તેના જુદા જુદા વર્ગો પાડેલા છે. જેનશાએ ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય અને ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય મળી ૨૪ લાખ વનસ્પતિની નિ ઠરાવેલી છે. અને For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy