SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પ-વૈદ્ય શ્યામચંદ ગવરધનરામ-ખાખરેચી ૧. કડુ, કરિયાતું અને કેમ, એ ત્રણ સરખે વજને લઈ જંગલી તુલસીના રસમાં ગોળી કરી જરૂરિયાત પ્રમાણે આપવા થી તમામ જાતના તાવ માટે છે. ૨. કોલમનું સત્વ અને તેનાથી ત્રીજા અગર ચોથા ભાગે એળિયે લઈ, તે એળિયામાં વજનસર પાણી નાખી ઓગળી જાય એટલે તે પાણી ગાળી લેવું. પછી તેમાં કલમના સત્ત્વને પણ પાણી કરી એકત્ર કરવું અને તેઢાની કઢાઈમાં ચૂલે ચડાવી ઘાટું થાય ત્યાં સુધી રાખવું. ત્યાર પછી ઉતારી ચડી પ્રમાણે ગોળી વાળવી. મેટી ઉંમરનાને એકથી બે અને નાની ઉંમરનાને અડધીથી એક સુધી તાવ હોય તે આપવી. તેથી દસ્ત આવે છે અને તાવ જાય છે. ૩. દંતી હરતાલ (ઘા પહાણ) ને લાવી તેને કુંવારપાઠાની લૂગદી વચ્ચે રાખી કપડમટ્ટી કરી ખાડામાં ડાં છાણાંમાં વચ્ચે રાખી સળગાવી દેવું, એટલે હરતાલને કકડે ખીલી ધૂળે થયેલે નીકળી આવશે. તેનાં પડેપડ ઊખડી છૂટાં પડે તે બરાબર ભરમ થયેલી જાણવી. પછી તેને કપડછાણ કરી બાટલી ભરી રાખવી. તેમાંથી રસ્તીથી વાલ સુધી દરદીની એગ્યતા મુજબ તુલસીનાં પાનમાં આપવાથી ગમે તેવા મેલેરિયા તાવને એકદમ અટકાવે છે. તાવમાં આપવાથી દદીને પસીને લાવી તાવ ઉતારે છે. મધ સાથે દેવાથી ખાંસીયુક્ત જવરમાં ફાયદો કરે છે. ૬-અમદાવાદના એક વૈદરાજ તાવ માટે -કરણનાં ફૂલ, આકડાનાં ફૂલ, ધંતૂરાનાં ફૂલ, રીંગણીનાં ફૂલ, હિંગળાક, ચીનીકબાલા, એલચી, વછનાગ, કપૂર, કેસર, લવિંગ, અકલગીરે, અફીણ, પીપર, રૂમીમસ્તકી, જાયફળ અને જાવંત્રી એ સર્વ સમભાગે લઈ, વાટી ચૂર્ણ કરી મધ મેળવી For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy