SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ૩. અતિવિષનું ચૂરણ બે આનીભાર તથા સૂરેખાર બેઆનીભારતું ચૂરણ એક રૂપિયાભાર મધમાં ચાટવાથી તાવ ઊતરી જાય છે. ૪. હરડે અને અતિવિષ, બે બે આનીભાર લઈ ચૂરણ કરી, અર્ધા રૂપિયાભાર ઊને પાણીમાં દિવસમાં ત્રણ વાર આપવું. ખોરાક આપવો નહિ. ચાલે એમ ન હોય તે મગને બાફેલો ખોરાક આપ. તાવ ઊતરી જશે. ૫. કાંચ (કાચકાં) શેકેલાંની મીજ, તેની બરાબર કાળાં મરી મેળવી ચૂર્ણ કરવું. અને ૧ રૂપિયાભાર ટાઢા પાણીમાં ત્રણ વાર પાવાથી તાવ જાય છે. આ ઉપાયે અમારા અજમાવેલા છે. ૪૫-કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી વૈદ્ય-કટોસણ - જવરહ્મભૈરવ રસ-કેડીભસ્મ, ગ, મરી, સુહાગ, અને ફીણ, કનકબીજ અને હિંગળાક, ઉપરની બધી ચીજો સરખા વજને લઈ બારીક કરી આદાના રસને એક પુટ આપ. એક પુટ લીંબુના રસને આપી, રતી પ્રમાણે ગળી વાળી, દિવસમાં ત્રણ વાર મધ સાથે આપવી. એ ત્રિદેવ, કફ, દમ, ઉધરસ શૂળ, પાસાનું શળ, ચસકા, ટાઢિયે તાવ, ઊને તાવ, વગેરે વાયુ અને કફના ઘણાખરા રોગ મટાડે છે, અનુભવસિદ્ધ છે. ૪૬-ડોક્ટર મગનલાલ વીજભૂખણદાસ-સુરત તાવા-ફટકી શેર વા, વરખી હરતાલ તેલ ૧, એને તવી ઉપર ફુલાવવા મૂકી ઉપર હરતાલને ભૂકે મૂકે. ફટકડી બરાબર ફૂલી જાય એટલે બધું ભેગું વાટી ખલ કરવું. તાવના પ્રમાણમાં મેટા માણસને બેથી આઠ ગ્રેન આપવું. આ દવા નાના બાળકને પણ આપી શકાય છે. મેં વાપરેલી છે. પણ બાળકને બાળકના પ્રમાણમાં આપવું. અનુપાન ફુદીનાના રસમાં આપવું. બાળકને સાકરના પાણીમાં આપવું. એ દવાની ગેળી મગ જેવડી ધંતૂરાના For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy