SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ શ્રીવે નિબધમાળા-ભાગ ૨ જો પકવાશયમાં રહેલે સમાનવાયુ પાચકપિત્તને આમાશયમાં રહેલા આમરૂપી મળને પચાવવાનો હુકમ કરે છે. આ રીતે આમને પચતાં જે સમાનવાયુને અને પાચનપિત્તને વધારાનું જોર કાઢવું પડે, તેથી માણસનું... શરીર ગરમ થાય, જેને આપણે તાવના નામથી એળખીએ છીએ. અને એટલા માટે આયુર્વેદાચાર્ય એ તાવની ચિકિત્સામાં લ’ધન, પાચન અને શેાધનના પ્રયાગેા કરવાનું કહેલું છે. આમાશયમાં રહેલા આમરસને અનુગામી થઈ ને પકવાશયમાં આવે છે એટલે શરીર તપે છે, એવેના નિદાનશાસ્ત્રના સિદ્ધાંત આ વ્યવસ્થાથી સાબિત થાય છે. પરંતુ આમાશયમાં રહેલા મળને ૫ચાવતા હાઇએ તે વખતે પિત્તાશયમાં પિત્ત વધેલું હેાય અથવા કફ઼ાશયમાં કફ વધેલા હાય, તા તે સ્થાનેાનાં તાબાનાં સ્થાનામાં તેની અવ્યવસ્થા જણાય છે. એટલે આમાશયમાં રહેલા આમને પચાવતાં સમાનવાયુના ભાગ પાડતાં અને બીજા વાયુને તે તે ભાગ પહાંચાહતાં જે અગવડ ઊભી થાય છે, તેથી તાવનાં દરેક સ્વરૂપ જુદાં પડે છે. આ જુદાં જુદાં પડેલાં સ્વરૂપમાં જુદા જુદા ઉપદ્રવા થાય છે. જો કે તાવ (જ્વર ) એકજ પ્રકારના છે પરંતુ તેના આઠ ભાગ પાડવામાં આવ્યા છે, છતાં ઉપદ્રવશેદે કરીને તે આઠ ભાગના ઘણા ભાગા એટલે ઘણા નામના તાવાની કલ્પના કરવામાં આવી છે. તે એટલી સગવડ માટે કે, તે તાવનુ નામ દેતાંજ ચિકિત્સક સમજી શકે કે, ઉપર કહેલી ૫દર ઑફિસેમાં રહેલા મુખ્ય અમ લદાર પૈકી કચા આળસુ, ઉતાવિળયેા કે બેદરકાર અનેલે છે. તે જાણ્યા પછી તે અમલદાર (વાયુ, પિત્ત અને કફ) પૈકી જે અમલદારના દોષથી અવ્યવસ્થા થઈ હોય તેને સુધારવાની વ્યવસ્થા કરવી એ તેનું કામ બાકી રહે છે. હવે નિદાનશાએ કહેલા જ્વર, કઈ કઈ ઑફિસમાં ગડબડ થવાથી કયા કયા નામે આળખાય છે, અને તેના ઉપદ્રવા કયા કયા કારણથી થાય છે,તેના વિચાર કરીએ, For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy