SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૠતુ- પણ ૨૯૩ શાંતિ થવાને બદલે તે પિત્તના કફ બની જાય છે. જો એવી ઋતુ ચાલતી હૈાય, તે પ્રજામાં વર્ષાઋતુમાં સૂકી ખાંસીના ઉપદ્રવ વધી પડશે, જેથી કફ-વાતજવરના ઉપદ્રવ થશે. તે વાત એકલા પવન ઉપરથી નહિ સમજવામાં આવે તે વર્ષાઋતુમાં ઊગતી મધુરરસ પ્રધાન વનસ્પતિએ જે જે જિલ્લામાં અને જે જે ગામમાં અથવા જે જે પ્રાન્તમાં ઊગતી હૈાય તે ઉપર ધ્યાન આપવું. જો વર્ષાઋ તુમાં ઊગતી વનસ્પતિ પૈકી કાકડી, ચીભડાં, તૂરિયાં વગેરે માળારસપ્રધાન વેલાઓ તેમ ઘાસની જાતે। અને વૃક્ષે ઊગી નીકળતાં જણાય અને તેઓ ઉપર ધેાળા ર'ગનાં ફૂલ આવેલાં હાય, તા નક્કી જાણવું' કે હવામાં ખારા રસ એટલે જળતત્ત્વ અને અગ્નિતત્ત્વ મળેલાં છે. જો શરદઋતુમાં આવતા દક્ષિણ અને પૂર્વના પવન વર્ષાઋતુમાં શ્રાવણ સુદ પૂનમ પહેલાં દેખાય અને આકાશનુ વાદળ ફાડીને મેઘની ગર્જના થાય, તે હવામાં ખાટા, તીખા તથા કડવા રસ ઉત્પન્ન થયેા છે એમ જાણવુ'. આ ઉપરથી સમજી શકાય છે કે, અગ્નિ, પૃથ્વી, આકાશ અને વાયુ એટલાં તત્ત્વા વાતાવરણમાં ભેગાં થયાં છે, તેથી પીળા ફૂલવાળા, ભૂરાં ફૂલવાળા જાંબલી ફૂલવાળા, છેડ અને વેલાઓ નજરે પડે છે, કે જેના સ્વાદ ખાટા, તીખા અને કડવા હેાય છે. એ ઉપરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે, આવી રીતના વાતાવરણને લીધે પ્રજામાં વાત-પિત્તજવરના ઉપદ્રવ થશે. જો શરદઋતુમાં દક્ષિણ અને પૂર્વના પવન નહિ આવતા ઈશાનના ભૂખર પવનની શરૂઆ· ત થઈ જાય, તે। શરદઋતુના તીખા અને ખાટા રસ નહિ મળવાથી કડવા રસની ઉત્પત્તિ વધી જાય; જેથી કડવારસપ્રધાન વનસ્પતિએ નવી ઊગે અને ઊગેલી વનસ્પતિ ઉપર રાતા સેાનેરી રગનાં અને રાતા રંગનાં પુષ્પો આવેલાં દેખાય. આમ અને ત્યારે આપણે જાણવુ જોઇએ કે, આકાશમાં પૃથ્વીતત્ત્વ, વાયુતત્ત્વ અને અગ્નિત For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy