SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - — - –-- --- - -- - - * * * - --- —ાજા – - - મ ૨૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે નમાં જેમ જેમ સૂર્ય અને ચંદ્ર રાશિઓને ભેગવતા જાય છે, તેમ તેમ રાશિ, સૂર્ય, ચંદ્ર અને બીજા ગ્રહનાં તેજ, આકર્ષણ તથા ગતિને લીધે જુદી જુદી દિશામાંથી જુદા જુદા ગુણધર્મવાળા વાયુને વહન થવું પડે છે. અને જે તુમાં જે દિશાને વાયુ આવે જોઈએ તે નહિ આવવાથી અથવા અતિ આવવાથી અથવા વહેલે આવવાથી અથવા મેડે આવવાથી, અથવા ઓછો આવવાથી અથવા વધતે આવવાથી, તે તે ગુણધર્મવાળી ઋતુઓમાં ઊગતી વનસ્પતિઓ, વહેતાં પાણીઓ, ફરતાં જંતુઓ અને જીવતાં મનુબે ઉપર તેના હીન, મિથ્યા કે અતિયોગની અસર થાય છે. એ રાશિઓના ક્રમ તથા સ્થાનને જરાક વિચાર કરવાની જરૂર છે. આપણે આકાશ તરફ રાત્રી નિર્મળ થયા પછી દૃષ્ટિ ફેરવીશું તે આકાશમાં નાનામોટા અસંખ્ય તારાઓ નજરે પડે છે. એ તારાઓમાંથી જે જે તારાઓને આપણું ગ્રહમાળા સાથે આકર્ષ ણ કે પ્રકર્ષણને સંબંધ જણાય, તે તેનારાનાં મંડળોને નિશ્ચય કરી “રાશિ” એવું નામ આપવામાં આવ્યું છે. “શિ” શબ્દને સામાન્ય અર્થ ઢગલે કે જ થાય છે. એવા તારાઓના જથ્થાના વિભાગ પાડી જોતિષશાસ્ત્ર તેની ૧૨ રાશિ ગણેલી છે. એટલે આકાશમાં ક ગ્રહ કઈ રાશિમાં છે અથવા કઈ રાશિને કેટલે અંશે ભેગવે છે, તેનું ગણિત સિદ્ધાંતના ગ્રંથમાં નક્કી કરેલું છે, જે જોતાં આપણને આશ્ચર્ય થાય છે. આપણી પૃથ્વીને બીજા તમામ ગ્રહો કરતાં સૂર્ય અને ચંદ્ર સાથે ઘોડે સંબંધ હોવાથી, સૂર્ય અને ચંદ્રની અસર આપણા ઉપર સીધી થાય છે અને બાકીના ગ્રેહેની અસર તે તે ગ્રહે છે જે રાશિ ભેગવતા હોય તે તે રાશિના ગુણધર્મ સાથે મળીને પૃથ્વીના વાતાવરણમાં આડકતરી રીતે ફેરફાર કરવામાં કારણભૂત થાય છે. એટલે આકાશમાં અશ્વિની ૩, ભરણી ૩, કૃત્તિકા ૬, રહિણી ૫, મૃગશીર્ષ ૩, આદ્ર૧, પુનર્વસુ For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy