SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર આપણને શીખવે છે કે, દરેક પરમાણુમાં આકર્ષક અને પ્રકર્ષિક એવી બે શક્તિઓ રહેલી છે. દરેક પરમાણુમાં વળગવું અને વિખરાવું એવા બે ગુણ રહેલા છે. દરેક પરમાણુ ગમે તે રૂપમાં જોડાયા હોય તે પણ તેની વચમાં અવકાશ રહે છે. દરેક પરમાણુ વિકેણ, ચતુષ્કોણ, પંચકોણ, સતકણ કે અષ્ટકોણી હોય છે. દરેક પરમાણુ ઉપર બીજા પરમાણુ સમૂહ વળગવાથી, મૂળ પરમાણુને રંગ બદલાય છે અને તે પરમાણુઓ ઉપર ચઢેલે રંગ ઊતરી જવાથી તે પિતાના અસલ રૂપમાં આવી શકે છે. આટલી વાત ધ્યાનમાં રાખીને વિચાર કરતાં સમજાશે કે, જગતમાં દશ્યમાન થતી જડ અને ચેતનધર્મવાળી સૃષ્ટિ ત્રિગુણાત્મક, ષડરસાતમક અને પંચભૂતાત્મક જેવી રીતે દેખાય છે, તેવી રીતે તે સૂક્ષ્મ રૂપમાં અદશ્ય રહેવાથી પણ તે તેના ધર્મથી યુક્ત હોઈ, કાર્યાકાર્ય સંબંધે જોડાયેલા રૂપમાં પ્રવાહી વહે છે. એવી જ રીતે મનુષ્ય શરીરમાં ગર્ભવાસમાં આવેલે આત્મા જ્યારે વીર્યનાં રંગ રૂપ વડે પોતાના સ્થલ શરીરને રચે છે. તે વખતે બારીક દષ્ટિથી જતાં આત્માનું ચાર અંતઃકરણ અને પાંચ તન્માત્રાઓવાળું લિંગ-શરીર જેને સૂક્ષ્મ શરીર કહીએ છીએ, તે આપણા જેવામાં આવતું નથી. પરંતુ સૂફમ શરીરમાં રહેલે આત્મા, નવ તત્ત્વના પ્રકૃતિરૂપ સૂમ પરમાણુના સમૂહના આકર્ષણધમરને પામી, માતાના ઉદરમાંથી નાનતંતુ દ્વારા માતાના આહારમાં રહેલા પંચભૂતાત્મક અને ષડાત્મક રસથી પિષણ પામી, પિતાના સૂફમ શરીર ઉપર સ્થલ શરીરની રચના કરે છે. તે સૂક્ષ્મ શરીરના ગે સ્કૂલ શરીરની રચના થતાં, જે જે પરમાણુ આવીને પરસ્પર વળગીને જેમ જેમ બનાવતા જાય છે, તેમ તેમ ચૈતન્યને વેગે ચતન્યપણું પામતા જાય છે. એટલે શરીરના બંધારણમાં સ્થલરૂપે For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy