SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આયુર્વેદ નિબંધમાળા ઝરતી હોય તે તેના પર કેરું દાબવું અને રસ ઝરતી ન હોય, તો જોયેલા ઘીમાં મેળવી ચોપડવું. ઘી ઓછામાં ઓછું ૨૧ વાર ધાયેલું હોવું જોઈએ. જેમ જેમ ધીને વધારે પાણીથી ધેવામાં આવે, તેમ તેમ તેમાં રુઝાવવાની શક્તિ વધારે આવે છે. બીજો એક મલમ બનાવી લગાડવાથી પણ જલદી આરામ થાય છે. તેનું નામ અમે “ધે મલમ” “પાણીનો મલમ” રાખ્યું છે. તલનું તેલ તેલા સોળ લઈ તપેલીમાં મૂકી, સગડી ઉપર કેલસાના તાપમાં મૂકવું. તેમાંથી ધુમાડા નીકળવા માંડે, એટલે તેમાં રાળ તેલા ચારનું ચૂર્ણ કરી, તેલમાં નાખી નીચે ઉતારવું એટલે રાળ તેલમાં પીગળી જશે. તેને કપડાથી ગાળી લઈ એક થાળીમાં નાખી કે સુંવાળા કપડાથી શેક કર્યા પછી તેના ઉપર ગાયનું ઘી, દિવેલા, લીંબોળીનું તેલ અથવા વેસેલાઇન લગાડવું. (૭) દાણા બહાર નીકળી અંદર સમાતા જણાય તો કાંચનારના ઝાડની છાલને કવાથ કરી તેમાં થોડું મધ નાખી પીવાથી દાણા બહાર પાછા આવે છે. (૮). આમાં તાવનું જોર વધારે રહે છે, માટે લીમડાની અંતરછાલ, ખડસલિયે, પટોળ, વાળા, કાલીપાટ, સુખડ, રતાંદળી, કડુ, આંબળા અને અરડૂસીને કવાથ સરખા વજને ઉંમરના પ્રમાણમાં કરી તેમાં સાકર નાખી પા. (૯) ગુલકંદ, ગુલાબપાક અથવા લીંબડાની અંતરછાલનું હિમ સાકર નાખીને આપવાથી શીતળા તથા એરી શાંત પડે છે. (૧૦) દાણું ફૂટીને તેમાંથી રસી વહે છે ત્યારે દુર્ગધ છુટે છે. તે વખતે પ્રથમ બતાવેલા પાણીથી ધોઈ નાખી જસત (કાજળ) અથવા શંખજીરાને ભૂકે દબાવે. (૧૧) કેટલીક વખતે ગરમીને લીધે ઝાડા બહુ થાય છે; માટે ધાણું, અતિવિષની કળી, વરિયાળી અને ખસખસનું સાકરમાં શરબત કરી પાવું. (૧૨) અશક્તિ જણાય તે દ્રાક્ષાસવ ઉંમરના પ્રમાણમાં આપ. (લેખકડ-વૈદશાસ્ત્રી નારાયણશંકર દેવશંકર-વૈદક સંબંધી વિચારોભાગ ૧ લો માંથી”) For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy