SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રાની ચિકિત્સા ૧૭૧ સુખડી ગમે તેટલી વધારે અથવા ભયંકર હોય, છતાં તેને બાધાઆખડી રાખવામાં ન આવે તે પણ તે શીતળા સુકાઈ ગયા પછી, તે બાળકને શીતળા આવી ગયા છે તેની કોઈ પણ નિશાની દેખાતી નથી; પણ ઊલટું ચામડીનું રૂપ વધે છે. તેવી રીતે જે માંસમાંથી શીતળી આવ્યા હોય તે તે શીતળા મટયા પછી, તે બાળકની ચામડીમાં ખાડા પડવાના જ. જેને આપણે શીતળાના ત્રણના નામથી ઓળખીએ છીએ. જે શીતળા મેદમાંથી આવેલા હોય તેને માટે માતા-પિતા ગમે તેટલી ખર્ચાળ અને ગમે તેવી મુશ્કેલી ભરેલી બાધા-આખડી રાખે તે પણ, શીતળાદેવી તેની બાધા-આખડીને કોઈ પણ સ્વીકાર કર્યા સિવાય, તે બાળકને પ્રાણ લે છે. અથવા જે કઈ બાળક બચી ગયું, તો તેને આંખે, કાને અથવા હાથે પગે, જીવતાં સુધી કાયમ રહે એવી, ખેડ રહે છે. જે શીતળા અસ્થિ એટલે હાડકાંમાંથી આવેલા હોય, તે શીતળામાં ગમે તેટલી અઘરી બાધા રાખવામાં આવે, તો પણ તે બાળક બચતું નથી. આ સ્થાને ત્રણે જાતના શીતળાને માટે છે. તેમાં માંસગત શીતળા ઓડ મૂકી જાય છે પણ માંસગત અછબડા અને ગેબતે પ્રાણ લઈને જાય છે. એટલું તે ખરું કે આ શીતળા નામના રોગમાં કઈ પણ જાતને ઔષધેપચાર કારગત થતું નથી. તેથી ભેળા લેકેને શીતળાદેવી પર શ્રદ્ધા હેવાથી તેની બાધા આખડી રાખે છે અને જેમજેમ ઉપદ્રવ વધતો જણાય, તેમ તેમ વધારે બાધા રાખવામાં આવે છે. જ્યારે ઘરમાં શીતળા આવ્યા હોય ત્યારે ઘરમાં શીતળા સિવાય બીજા કેઈ દેવનું પૂજન થતું નથી. ઘરમાં કઈ પણ મિત્ર કે અતિથિ આવ્યા હોય, તેને આદરમાન આપી શકાતું નથી, ઘરના પુરુષવર્ગથી હજામત કરાવાતી નથી તેમ કપડાં ધોવાતાં નથી કે ધેવા અપાતાં નથી. ઘરમાં તે બાળકની માતા સિવાય કોઈ રજસ્વલા થાય તે તેને પડછાયે શીતળા ઉપર પાડી શકાતે For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy