________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નિબંધમાળામાં બીજા વૈદ્યરાજે તરફથી આવેલા ઉપાય દાખલ કરવામાં આવ્યા છે અને તે સાથે તે વૈદ્યરાજોનાં નામઠેકાણું લખવામાં આવ્યાં છે, એટલે તે સંબંધે કોઈને કાંઈ પૂછવું હોય તે તે વૈદ્યને પૂછી લેવાય, જેથી કઈ વાતની શંકા રહેજ નહિ.
આ નિબંધમાળામાં અમારા તથા અન્ય વૈદ્યરાજેને જે ઉપાયો આવેલા છે, તેમાં ધાતુ-ઉપધાતુ, રસો-ઉપાસે અને વિષે-ઉપવિ
ના ઘણા પ્રયોગો છે. તેમાં આવેલા પદાર્થોને શુદ્ધ કર્યા સિવાય તથા વિધિપૂર્વક તેનું મારણ કે જારણ કર્યા સિવાય તે પદાર્થો કોઈ પણ વૈવે વાપરવા નહિ, અમે તેનું શોધન લખવું નથી; કારણ કે બીજા દરેક ગ્રંથકારે તેની શોધનવિધિ લખેલી છે. તેમાંથી જેઈને દરેક પદાર્થનું શોધન કરીને પછી જ એવી ઔષધિને ઉપચોગ કરવો.
આ નિબંધમાળામાં જે ગુણ દેખાય છે તે આયુર્વેદના છે અને જે કાંઈ દે દેખાય છે તે અમારા પિતાને છે, એમ જાણી ક્ષમા કરવી. તે સાથે અમે જણાવીએ છીએ કે, આપને આ નિબંધમાં કેટલીક અપૂર્ણતા જણાશે અથવા સિદ્ધાંતમાં કાંઈ ફેર જણાય તે તેની ઉપર ટીકા નહિ કરતાં પોતે માનેલા પિતાના સિદ્ધાંતને જુદે નિબંધ લખવો; એટલે ખરું શું છે તે સમજાઈ જશે. મિથ્યા વાદવિવાદ કરવાનો અમારો વિચાર નથી. x x x x
લિ આપને કૃપાભિલાષી શાહ તિલકચંદ તારાચંદ વૈદ્ય-સુરત
For Private and Personal Use Only