SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકની સારવાર અને તેના રંગેની ચિકિત્સા ૧૩૧ - - - - - - - તે પ્રત્યક્ષ રીતે કહેવાને સમય આવી લાગે છે. જ્યાં સુધી આર્યા વતમાં આયુર્વેદાચાર્યો અને વૈદિક ધર્માચાર્યોના બાધેલા પ્રબંધ પ્રમાણે વર્તવામાં આવતું હતું, ત્યાં સુધીના મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી થતા ઉપદ્રથી ગર્ભિણી સ્ત્રીને, ગર્ભસ્થિત બાળકને અને પ્રસવ થયા પછીના બાળકને જે રોગો થતા હતા, તેની ચિકિત્સા આયુર્વેદાચાર્યો લખી ગયા છે, પરંતુ જ્યારથી વૈદકશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનાં બાંધેલાં બંધન તોડીને, વર્ણાશ્રમધર્મ ત્યજીને, મનુષ્ય સ્વરછેદાચારી થયા અને તે સ્વચ્છેદને લીધે બાળકના શરીરમાં વિકિયા થઈ, બાળક જમ્યા પછી તે વિકિયાને લીધે રેગી બની, જે રોગનાં સ્વરૂપ પ્રગટ દેખાડે છે તેનું વર્ણન કરવાનું તે પછીના વિદ્વાનને માથે આવી પડયું છે. પરંતુ તે બાબતમાં આયુર્વેદના ઉપાસકે વધારે શોધખોળ કરી તેની ચિકિત્સા અને કારણને નિર્ણય કરવાને, કેટલાંક ચેકસ કારણોને લીધે પાછળ પડેલા છે. માટે આપણે તે સંબંધી કાંઈક તર્કથી, કાંઈક અનુભવથી અને કાંઈક આયુર્વેદના આધારથી, બાળકના રેગે અને તેની સારવાર કરવાના વિચાર, પ્રજા સંમુખ રજૂ કરવા જોઈએ, એવા વિચારથી આ નિબંધ લખવા દેરાઈએ છીએ. અમે માનીએ છીએ કે તે અપ્રાસંગિક ગણાશે નહિ. “માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભ પર થતી અસર” ના નિબંધમાં આપણે ઘણું જોઈ ગયા છીએ; પરંતુ બાળક પર જેની પ્રત્યક્ષ અસર થાય, એવા દાખલા સંપૂર્ણ રીતે આપી શક્યા નથી. આપણું શાસ્ત્રકારોએ “પુંસવન સંસ્કાર કર્યા પછી સ્ત્રીને અમૃ. હિણી ગણી, તેના પિતાને ત્યાં વિદાય કરવાને જે પ્રબંધ રચેલે, તે પ્રબંધને તેડીને આપણે પશુવૃત્તિ ધારણ કરી, ગર્ભવાળી સ્ત્રીની સાથે પ્રસવના પૂરા માસ થતાં સુધી, સંસારસુખ ભેગવવાનું ચાલુ રાખીએ છીએ. પણ આપણને વારેવારે પરોક્ષ રીતે ઘરની For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy