SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૨૧ દેખાતું નથી, પણ ચહેરે લોલટે ફિકકો માલુમ પડે છે. એટલા માટે આપણું પરંપરાના રિવાજમાં અનુભવી અને ઘરડાં માણસો સુવાવડી સ્ત્રીને દૂધ આપવાને સખત પ્રતિબંધ કરે છે, અને જે તે આપવાની ભલામણ કરીએ તે બબડે છે. એ પ્રમાણેની વિધિએ વિચારતાં દશ ઉઠણ સ્નાન અથવા બાળાબળિયાનું પૂજન કરતાં સુધી ઉપર પ્રમાણેના ઉપચાર ચાલુ રાખવા અને તે પછી જરૂર જણાય તે દેવદર્ભોદિ કવાથ ચાલુ રાખવે; પણ જે પેટમાં શળ, મળને અવરોધ, પિટનું ભારેપણું, તાવ, ઊલટી માથાની ચકરી અને મેટું બેસ્વાદ ન હોય તો પછી કવાથની જરૂર નથી, પરંતુ બાળ, હિંગળ અને હવળાઈ જારી રાખી, તે પછી તેજાનાની રાબડી શરૂ કરવી. તેની વિગત નીચે પ્રમાણે છે – - સૂંઠ, મરી, પીપર, અક્કલકર, તજ, લવિંગ, એલચી, જાય. ફળ, જાવંત્રી, બદામ, પિસ્તાં, ચારેળી, લાલ દ્રાક્ષ, છીણેલું સૂકું કપરું, ખસખસ, અસાળિ અને નાગકેશર-એ સર્વ વસાણાં સમભાગે લઈ, તેમાંનાં કઠણ વસાણાં વાટી વસ્ત્રગાળ કરવાં; મગજ તથા દ્રાક્ષને ઝીણાં છંદવાં, સૂકા કોપરાને છીણવું અને ખસખસ તથા અસાળિયે આખાં નાખી સર્વને એકત્ર કરી ભરી રાખવું. પછી તેમાં એકથી બે તેલા સુધી ભૂકે લઈ, તેટલાજ ઘીમાં તેને જરા સાંતળી, તેમાં બે તોલા ગોળનું પા શેર પાણી કરી, સાંતબેલા મસાલામાં રેડી બે ઊભરા આવવા દેવા અને તે રાબડી બહુ ગરમ પણ નહિ અને બહુ ઠંડી નહિ, એવી મધ્યમસરની પાવી. તે પાયા પછી આગળ બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે સૂઠ, ગળ અને ઘીવાળી ગળી ખવડાવવી. તે પછી ભૂખ લાગે તે શીરે રોટલી, સુંવાળી સાત પડી કે દશમી અને તેલ, મરચાં, હિંગ, ગરમમસાલાવાળું સૂરણ, દૂધીનું, કારેલાંનું, પરવળનું, ઘિલેડાંનું, વગર લેટ નાખેલી સેકટાની સિંગનું શાક; અને મગ, મઠ, ચણા For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy