________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
અહંતપ્રાર્થના
૫. શ્રી સુમતિજિનની સ્તુતિ આ સંસારે ભ્રમણ કરતાં શાન્તિ માટે જિનેન્દ્ર, દેવે સેવ્યાં કુમતિ વશથી મેં બહુએ મુનીન્દ્ર; તેઓ ના ભવભ્રમણથી છૂટકારો લગારે, શાન્તિદાતા સુમતિજિન દેવ છે તું જ મારે.
૬. શ્રી પ્રભુજિનની સ્તુતિ. સેના કેરી સુર વિરચિતા પદ્મની પંક્તિ સારી, પદ્મો જેવા પ્રભુચરણના સંગથી દીપ્તિ ધારી; દેખી ભવ્ય અતિ ઉલટથી હર્ષના આંસુ લાવે, તે શ્રી પદ્મ–પ્રભ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે.
૭. શ્રી સુપાર્શ્વનાથની સ્તુતિ. આખી પૃથ્વી સુખમય બની આપને જન્મ કાળે, ભવ્ય પૂજે ભયરહિત થઈ આપને પૂર્ણ વહાલે, પામે મુક્તિ ભવભય થકી જે મરે નિત્યમેવ, નિત્ય વંદુ તુમ ચરણમાં શ્રી સુપાઇ દેવ.
૮. શ્રી ચંદ્રપ્રભજિન સ્તુતિ. જેવી રીતે શશિકિરણથી ચંદ્રકાન્ત દ્રવે છે, તેવી રીતે કઠિણ હૃદયે હર્ષને ધોધ વહે છે, દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્ર-પ્રભ જિન મને આપજે સેવ સારી.
For Private And Personal Use Only