________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના
હે નિર્મોહ નાથ ! આ કામ વગેરે આપની પાસે ફાવતા નથી તેથી મને આપને સેવક જાણી નિયપણે પીડે છે.
(ર૩) जिता जिताशेषसुराऽसुराद्याः,
कामादयः कामममी त्वयेश!। त्वां प्रत्यशक्ताम्तव सेवकं तु,
निघ्नन्ति ही मां परुषं रुषेव ॥२३॥ અનુવાદવવ મનાદિકણે જે જિતનાર વિશ્વને, અરિહંત ઉજજવળ ધ્યાનથી તેને પ્રભુ જિત્યો તમે, અશક્ત તુમ પ્રત્યે હણે તુમ દાસને નિર્દયપણે, એ શત્રને જિતું એવું આત્મબળ આપ મને રડા ભાવાર્થ
અયિ અરિહંત ! આ કામદેવ વગેરેની દુર્જય ટેળકી મહાબળવાન છે. કોઈથી પાછી પડે એવી નથી. હરિ-હર-બ્રહ્મા-ઈદ્ર-ઉપેન્દ્ર દેવ-દાનવ, નર, તિર્યંચ, રાજા, મહારાજા, વાસુદેવ, ચકવતી વિગેરે સર્વ તેથી હારી ગયા છે. મદોન્મત્ત એવા એ મદનાદિએ આપની ઉતર હલ્લા કર્યો પણ ત્યાં તેઓ ફાવ્યા નહિ, આપે તો તે બધાને મારી મારીને જેર કરી નાંખ્યા. આપની પાસેથી તે ઊભી પૂંછડીએ નાસી છૂટયા છે. એ રક્તાસુરના સંતાનીયા હા મર્યા નથી, જીવે છે. આપની પાસે ન ફાવ્યા એટલે મને આપને સેવક સમજીને એ વેર અહીં વાળે છે. ક્રોધથી ધમધમતા નિર્દયપણે મને હણે છે. આપ મારા ઉપર દૃષ્ટિ કરે કે જેથી તેઓ મારી પાસેથી પણ નાસી છૂટે. (૨૩)
For Private And Personal Use Only