SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૫ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વગેરેનો વિશેષ નથી. અશુચિ વગેરેમાં અવિશેષ હોવા છતા રત્નત્રયનો યોગ માનો તો અતિપ્રસંગ આવે. એ પ્રમાણે જુઓ-આ તેનો આત્મા, સ્ત્રી, ભવન, માણિ, કનક’ વગેરેથી માંડીને દ્વેષ એમ કરીને’ સુધીનું જે કહ્યું હતું તે પરપક્ષમાં કહેવા માત્ર જ છે. કહેલાની જેમ નિર્વિષય હોવાથી. માટે જે અનેકાંતવાદી છે તેને જ વિરૂદ્ધ ધર્માધ્યાસિત જે વસ્તુ તેને વિષે જ સર્વ વ્યવહારની સિદ્ધિ થવાનો સંભવ છે. તેમજ પીડા, નિર્વેદાદિ પણ કથંચિત્ એક સ્થાન સ્થાયી ઠરવાથી મુક્તિની સિદ્ધિનો પણ તેને વિષે જ સંભવ છે. અનેકાંતવાદી કરતાં અન્ય જે એકાંતવાદી તેની વસ્તુને વિષે આવા નિર્વાહનો સંભવ જ નથી. માટે એકાંતવાદીને જ મુક્તિના અભાવનો પ્રસંગ આવશે એ જે કહ્યું હતું તે સુવ્યવસ્થિત છે. આ ઉપર એવી શંકા કરશો કે, વિરૂદ્ધ ધર્માધ્યાસિત સ્વભાવવાળી વસ્તુ માનતાં તો વસ્તુનો જ અભાવ થશે, એટલે તેને આધારે પ્રવર્તતો વ્યવહાર જ સિદ્ધ થશે નહિ. શીત સ્પર્શવાળું અને ઉષ્ણ સ્પર્શવાળું તે એક જ છે એમ નથી. કેમકે તે બે પરસ્પરથી અત્યંત વિરૂદ્ધ છે. (પાના નં. ૯૮) આ સ્થાને સમાધાન આ પ્રકારે છે. વિરોધ એટલે શું ? એકનો ભાવ હોય તો અન્યનો અભાવ હોય એ વિરોધ એમ કહો તો તે ઠીક છે, પણ શીતોષ્ણ For Private and Personal Use Only
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy