________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૪૯
હોય તો તેના પછી થનાર અને તેના સામર્થ્યથી ઉપજનાર જે વિજાતીય ભેદનો ગ્રાહક વિકલ્પ તેની પેઠે સર્વથા સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પ કેમ થતો નથી ? એવો અનુભવ નથી માટે થતો નથી એવું કહો, તો સમાન અને અસમાન એવા પરિણામ વિશિષ્ટ જે વસ્તુ તેનાથી જ એ અનુભવ ઉપજે છે, એમ માનો, કેમકે તે જ માનવું યુક્તિવાળું છે.
કુશલ માયા પ્રયોગ કરનારના નિર્માણ કરેલાં વ્યાપારથી વિનિયુક્ત સર્વથા વિલક્ષણ સ્વભાવવાળા જે માયા ગોલકો તે યદ્યપિ ભિન્ન એવા નિર્વિકલ્પાનુભવથી અનુભવાય છે. તથાપિ તેમાં એ વિજાતીય ભેદ ગ્રાહક વિકલ્પની પેઠે સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પનો સંભવ દેખાતો નથી, સાદેશ્ય હોવાથી. એ રીતે અહીં પણ થઈ શકશે.
(પાના નં. ૫૪) એવું કહો તો તે અસાર છે, કેમકે સાદેશ્ય તો પરિકલ્પિત છે, અને જે પરિકલ્પિત છે, તે સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પનું પ્રતિબંધક નથી. પ્રતિબંધક હોય તો વિજાતીય ભેદ ગ્રાહક વિકલ્પનો પણ ઉદય નહિ થાય, કેમકે પરિકલ્પિતના સાદૃશ્યની વિજાતીય સાથે પણ પરિકલ્પના કરી શકાય એમ છે, કેમકે કલ્પના તો પુરૂષની ઇચ્છા માત્રને આધીન છે. તેના અકારણથી તે કાર્યની
For Private and Personal Use Only