SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ એ બધું પણ અયુક્ત છે-અર્થ વિકલ્પનારૂપ આકાર વિના કલ્પનાની સ્વસંવિત્તિનો જ અસંભવ છે; અને સંભવ કહો તો કલ્પના જ બને નહિ. સ્વલક્ષણાનુભવથી થતા સંસ્કારથી જેમાં વિશેષ ઉત્પન્ન થયો છે એવો ભૂતકાલમાં અનુભવેલા વિકલ્પથી થતો પરિપક્વ સંસ્કાર કલ્પનાનો હેતુ થાય છે, એમ કહો તો તેમ પણ નથી, સ્વલક્ષણાનુભવથી થતા સંસ્કારે કરી તે પૂર્વ સંસ્કાર થકી વિશેષરૂપતા જ સિદ્ધ થતી નથી, કેમકે તેનાથી તે સંસ્કારને કશો તાત્ત્વિક ઉપકાર જ થતો નથી. જીઓ-સ્વલક્ષણના અનુભવથી જનિત સંસ્કાર તે વિકલ્પથી થયેલ સંસ્કારવિશેષ ઉપર ઉપકાર કરશે તો એ વિકલ્પથી થયેલ સંસ્કારવિશેષની ઉત્પત્તિ પછી કરશે કે ઉત્પત્તિ પૂર્વે કરશે કે For Private and Personal Use Only ૧૨૫ (પાના નં. ૨૬) નાશ થયા પછી કરશે ? એમ ત્રણ ભેદ છે. અનુત્પન્નની ઉપર તો કરી ન શકે કેમકે ઉત્પન્ન જ નથી તેને ઉપકાર જ બને નહિ. તેમજ ઉત્પન્નની ઉપર પણ ન કરી શકે કેમકે તેને અતિશયની અપેક્ષા નથી અને અતિશય ઉપજાવ્યા વિના તો ઉપકાર થવો જ અશકય છે. જો અતિશય થાય છે એમ માનો તો વસ્તુ પોતે અન્ય રૂપે થઈ જાય. ભૂતકાળના વિકલ્પથી થયેલ સંસ્કાર અને વર્તમાન અનુભવથી થયેલ સંસ્કાર એ બન્ને એક થઈ તે બન્નેથી અન્યને કરે એ જ અતિશયનું આધાન છે, તે જ
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy