________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
પ્રતિપાદન થઈ જાય છે, છતાં અનેકાન્તનો સ્વીકાર કરાતો નથી! જુઓ પાર્થિવ દ્રવ્ય સન્ત તે જ વિશિષ્ટ એવું જલાદિ દ્રવ્યાસત્ત્વ એમ કહો છો છતાં વસ્તુ સદસકૂપ છે એમ સ્વીકાર કરતા નથી એ કોઈ અપૂર્વ મોહ છે. વાસ્તવિક રીતે જોશો તો સ્વસત્તાથી ભાવ અને પરસત્તાથી અભાવ એમ પ્રત્યેક વસ્તુની ઉભય રૂપતા માન્યા વિના વસ્તુની વિશિષ્ટતા જ સિદ્ધ થશે નહિ. જે સ્વભાવથી ઘટ વસ્તુ પાર્થિવ દ્રવ્યરૂપે સત્ છે, તે જ સ્વભાવથી જલાદિ દ્રવ્યરૂપે અસત્ છે એમ નથી. કેમકે નિમિત્ત અભિન્ન હોતે છતે સતુ અને અસનું એક સ્થાને રહેવુ વિરૂદ્ધ છે. જુઓ, તેના તે જ સ્વભાવથી વસ્તુ સત્ હોય અને અસતું હોય એ વિરૂદ્ધ જ છે
(પાના નં. ૧૮) કદાચ શંકા થાય કે- પણ જલાદિ દ્રવ્યરૂપે અસત્ત્વ એ તો પરિકલ્પિત છે માટે દોષનો સંભવ નથી એ કહેવું તે ગડુના પ્રવેશ અક્ષિ તારકને કાઢી નાખવાનો ન્યાય કહેવાય. અર્થાત્ પ્રસ્તુત દોષને કાઢવા જતા બીજો મોટો દોષ આવી પડે એવું થાય. કેમકે જલાદિ દ્રવ્યરૂપે અસત્ત્વ પરિકલ્પિત હોવાથી અસત્ હોવાથી જલાદિ દ્રવ્ય રૂપે પણ અસ્તિત્વનો પ્રસંગ હોવાથી જલાદિ દ્રવ્ય રૂપે પણ અસ્તિત્વનો પ્રસંગ આવે જે અનિષ્ટ છે.
કદાચ શંકા થાય કે એ વાત ઠીક છે, પરંતુ પાર્થિવ દ્રવ્યરૂપે સત્ત્વથી ભિન્ન એવું જલાદિ દ્રવ્યાસત્ત્વ પરિકલ્પિત
For Private and Personal Use Only