________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
પણ તે અન્યત્ર છે નહિ, માટે વસ્તુને ઉભય રૂપ માનવી ઠીક નથી.” એનો અનુવાદ એવો છે કે દહિં અને ઊંટમાં કાંઈક અતિશય છે. કેમકે “દહિં ખાઓ' એમ કહેતાં ક્ષીર વિકાર (દહિ) ને ખાવાને માણસ પ્રવર્તે છે, અન્યત્ર નહિ; ને એવો જો કોઈ અતિશય હોય તો તે જ અતિશય અર્થ ક્રિયાર્થીની પ્રવૃત્તિનો વિષય થાય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાના નં. ૧૨) ફલ વિશેષોપાદાન ભાવથી લક્ષિત સ્વભાવવાળી વસ્તુ દહિ છે. તેવો સ્વભાવ તો અન્યત્ર છે જ નહિ, કેમકે તેવા સ્વભાવવાળી વસ્તુ માનીને તે વસ્તુ ઇચ્છનારની પ્રવૃત્તિ થતી નથી, માટે ઉભય રૂપ એક વસ્તુ એ વાદ સારો નથી. આ પ્રકારે એકાંતવાદવાળા કહે છે.
અહીં ત્રીજો પૂર્વપક્ષ પૂર્ણ થયો.
વળી પણ તે કહે છે કે અભિલાપ્ય-અનભિલાપ્ય એવું જે વસ્તુ સ્વરૂપ કહો છો તે પણ વિરોધથી બાધિત હોઈ કહેવા યોગ્ય નથી. તે આ પ્રમાણે જેનો અભિલાપ થાય તે અભિલાપ્ય, તેથી વિલક્ષણ તે અનભિલાપ્ય. એટલે જે અભિલાપ્ય હોય તે અનભિલાપ્ય ન હોય, અને જે અનભિલાપ્ય હોય તે અભિલાપ્ય ન હોય, કેમકે એકને એક જ વસ્તુ વિરૂદ્ધ ધર્મોથી અનુગત થઈ શકતી નથી. અહીં ચોથો પૂર્વપક્ષ પૂર્ણ થયો.
For Private and Personal Use Only