________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૮
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
ઉચ્છેદની પ્રતીતિ થતી નથી. પર્યાયો જ પર્યાય રુપે નાશ પામે છે, દ્રવ્ય નહી. આ પ્રમાણે અમે દ્રવ્યને નિત્ય માનીએ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાના નં. ૭) આ શંકા પણ અયુક્ત છે; કેમકે એવી પણ નિત્યતા દ્રવ્યમાં સંભવતી નથી, કેમકે પર્યાયથી ભિન્ન એવું દ્રવ્ય જ સિદ્ધ થઈ શકવું અશક્ય છે; જીઓ, પર્યાયથી ભિન્ન દ્રવ્ય નથી કેમકે તેવો અનુભવ થતો નથી. ભિન્ન માનતાં પણ અનેક રૂપ એવી એક વસ્તુ માનવાનો જે તમારો વાદ તેની હાનિ થવાનો પ્રસંગ આવશે. કહ્યું છે કે“પર્યાયો ભિન્ન છે, તેમના સ્વરૂપવાળું દ્રવ્ય નિત્ય છે, જો દ્રવ્ય-પર્યાય ભિન્ન હોય તો સ્યાદ્વાદની હાનિ થશે.” ભિન્નાભિન્ન પક્ષ તો વિરોધ યુક્ત હોવાથી, ન્યાય બાહ્ય છે, અને માન્ય કરવા યોગ્ય નથી.
અહીં બીજો પૂર્વપક્ષ પૂર્ણ થયો.
આટલું કહેવાથી સામાન્ય વિશેષાત્મક એક વસ્તુ છે એ ઉક્તિ પણ અસિદ્ધ ઠરે છે. જીઓ-સામાન્ય એક છે, વિશેષ અનેક છે; સામાન્ય નિત્ય છે, વિશેષ અનિત્ય છે; સામાન્ય નિરવયવ છે, વિશેષ સાવયવ છે; સામાન્ય નિષ્ક્રિય છે, વિશેષ સક્રિય છે; સામાન્ય સર્વગત છે, વિશેષ અસર્વગત છે; ત્યારે વસ્તુ જો સામાન્ય રૂપ હોય તો વિશેષ રૂપ કેમ થાય ? જો વસ્તુ વિશેષ રુપ હોય તો સામાન્ય રુપ
For Private and Personal Use Only