________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે કે બાળકને જાતીય શિક્ષણ આપવાની હજુ ઉંમર થઈ નથી. પરંતુ વાસ્તવમાં તેમ નથી. એક સમાજવૈજ્ઞાનિકનું સર્વેક્ષણ રજૂ કરતાં તેઓ જણાવે છે કે, ૮૧ ટકા કરીઓની યૌન ચેતના પાંચ વર્ષની વયે જાગૃત થયેલ જેવા મળી છે. તથા ૮૧% કરીએ અગિયાર વર્ષની વયે પહેચતાં ઋતુદર્શન પ્રાપ્ત કરે છે. તેઓના સ્તન પણ વિકસે છે.
આજ વૈજ્ઞાનિકનું બીજું સર્વેક્ષણ રજૂ કરતાં ડોકટર જણાવે છે કે, “આ સર્વેક્ષણમાં બત્રીસ અવૈદ્ય ગર્ભાધાનના કિસ્સા તપાસતાં માલૂમ પડેલ કે તેમાં ભાવિ માતાઓની ઉમર ૧૧ થી ૧૪ વર્ષ વચ્ચેની હતી અને તેઓને ગર્ભાધાન ૧૧ થી ૧૫ વર્ષની વયના છેકરાએથી થયેલ. આમાંથી મેટા ભાગનાં છેકરા-છોકરીઓને ભેગનું પરિણામ શું આવશે તેનું જરા પણ જ્ઞાન ન હતું.”
આ કારણથી હેવલેક એલીસ સ્પષ્ટ જણાવે છે કે, “તમે તમારાં બાળકને યૌવન પ્રાપ્ત કરતાં અગાઉ જાતીય શિક્ષણ આપિ. જેથી તેઓમાં યૌનદોષ અને યૌનવિકૃતિઓ વિકાસ ન પામી શકે.”
ડૉ. રિચાર્ડ હાફમેન જણાવે છે કે, “આ જાતનું શિક્ષણ બાળકોને તેઓનાં માબાપ જ આપે. જે રીતે માબાપ બાળકોને સારું ભેજન, સારાં વચ્ચે, રમકડાં વગેરે આપે છે તેથી પણ વધુ આવશ્યક્તા સમજીને તેઓનું ભાવિ જીવન સુખમય બનાવવા માટે જાતીય શિક્ષણ આપવું જરૂરી છે.”
For Private and Personal Use Only